બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી. આ એક જૂની ઘટના દરમિયાનની છે જ્યારે ઢાકા યુનિવર્સિટીએ 2023માં તેમનું શિલ્પ હટાવ્યું હતું.

બાંગ્લાદેશમાં હિંસામાં હુમલાઓ અને મિલકતોની તોડફોડના અહેવાલો વચ્ચે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાના મુખની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરી હતી, જેમણે એક સમયે દેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરી હતી, જેમણે એક સમયે દેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ કરતા અમને 18 ફેબ્રુઆરી 2023ના રોજ પુણે મિરરની વેબસાઈટ પર અપલોડ કરેલી આ જ ઈમેજ પ્રાપ્ત થઈ હતી. આ રિપોર્ટ અનુસાર, ઢાકા યુનિવર્સિટી કેમ્પસમાંથી રવીન્દ્રનાથ ટાગોરનું શિલ્પ જે વિદ્યાર્થીઓએ બનાવ્યું હતું તે દૂર કરવામાં આવ્યું હતું. આ શિલ્પનું માથું પુસ્તક મેળાના પ્રાંગણમાં પસાર થતા વ્યક્તિને મળી આવ્યું હતું.

શું હતી ઘટના?

ઢાકા યુનિવર્સિટીએ ‘અમર એકુશે પુસ્તક મેળા’માં પુસ્તકો પર પ્રતિબંધ મૂક્યો હતો. ઢાકા યુનિવર્સિટી સ્ટુડન્ટસ યુનિયન દ્વારા યુનિવર્સિટીના નિર્ણયના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિકાત્મક પ્રતિમા બનાવવામાં આવી હતી. આ પ્રતિમાનું મોં હાથમાં પુસ્તકો સાથે ટેપથી ઢંકાયેલું હતું.

અધિકારીઓએ શિલ્પને દૂર કર્યું જે પાછળથી કચરાના ઢગલામાં બિટ્સ અને ટુકડાઓમાં મળી આવ્યું હતું. આ ટુકડાઓ ફરીથી વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા અને શિલ્પને ફરીથી સ્થાપિત કરવામાં આવ્યું હતું.

Dhaka Tribune

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી. આ એક જૂની ઘટના દરમિયાનની છે જ્યારે ઢાકા યુનિવર્સિટીએ 2023માં તેમનું શિલ્પ હટાવ્યું હતું.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બાંગ્લાદેશમાં વિરોધીઓ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી ન હતી… જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False