
એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો કાંટાળા તારની વાડ પાર કરતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “SIR ની જાહેરાત પછી, બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળ છોડીને ભાગી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “SIR ની જાહેરાત પછી, બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળ છોડીને ભાગી રહ્યા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને સમાન ફૂટેજવાળી ફેસબુક પોસ્ટ તરફ દોરી ગયા. તે 30 ઓક્ટોબર, 2025ના રોજ અપલોડ કરવામાં આવી હતી. વિડીયોમાં, તેણીને કહેતી સાંભળી શકાય છે કે તે શિકારપુરમાં વિસર્જન જોવા માટે આવી છે. શિકારપુર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના કરીમપુર II સીડી બ્લોકમાં મુરુતિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળનું એક ગામ છે.
તે જ ફેસબુક યુઝર દ્વારા બીજો વીડિયો પણ ઉપલબ્ધ છે.
પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા 4 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી પરંતુ જે વીડિયો ફરતો થઈ રહ્યો છે તે 30 ઓક્ટોબરના રોજ યોજાયેલી ઉજવણીનો છે. આ વીડિયોનો SIR પ્રક્રિયા સાથે કોઈ સંબંધ નથી.
પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા 4 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી પરંતુ જે વીડિયો ફરતો થઈ રહ્યો છે તે 30 ઓક્ટોબરના રોજ યોજાયેલી ઉજવણીનો છે. આ વીડિયોનો SIR પ્રક્રિયા સાથે કોઈ સંબંધ નથી.
પશ્ચિમ બંગાળ પોલીસે ટ્વિટર દ્વારા એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, વાયરલ વીડિયો SIR પ્રક્રિયા સાથે સંબંધિત નથી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના મુરુટિયા જિલ્લાના ફુંકોટલા ગામ (બાંગ્લાદેશ સરહદ નજીક સ્થિત)ની દેવી શ્યામા/કાલીની મૂર્તિ/છબીના માથાભાંગા નદીમાં વિસર્જનનો એક વીડિયો/તસવીર SIR ને કારણે મોટા પાયે રાજ્ય છોડી રહેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ તરીકે ફેલાવવામાં આવી રહી છે. આ નકલી અને ખોટો છે.”
ઉપરોક્ત પુરાવાઓને ધ્યાનમાં લેતા, એ સ્પષ્ટ છે કે પશ્ચિમ બંગાળમાં કાલી મૂર્તિ વિસર્જનનો એક વીડિયો SIR ની જાહેરાત પછી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને જતા દર્શાવતો શેર કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ફંકતલા ગામ (શિકારપુર) ખાતે કાલી મૂર્તિ વિસર્જનનો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર SIR બાદની ઘોષણા બાદ બાંગ્લાદેશ ભાગી રહેલાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


