પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી જૂની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના એક પણ કેસ એક્ટિવ નથી. ગુજરાતમાં 281 કેસ એક્ટિવ હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, અમદાવાદમાં કોરોની ચોથી લહેર આવી છે અને હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ છે. આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોનાના 281 એક્ટિવ કેસ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલ અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોનાના 281 એક્ટિવ કેસ છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે જોયુ કે વાયરલ પ્લેટ ઝી24 કલાકની છે. જે ક્લુના આધારે સર્ચ કરતા અમને ઝી24 કલાકના ઈન્સટાગ્રામ પેજ પર આ સમાચાર પ્રાપ્ત થયા હતા. જે 4 જૂન 2025ના પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આમ ઉપરોક્ત પરિણામ પરથી એ તો સ્પષ્ટ થયુ કે આ બ્રેક્રિંગ પ્લેટ હાલની તો નથી.
તેમજ હાલમાં ગુજરાતમાં કોરોનાના કેટલા કેસ છે તે જાણવા અમે હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં આપવામાં આવેલી માહિતી મુજબ સમગ્ર દેશમાં માત્ર 4 જ કોરોનાના એક્ટિવ કેસ છે જેમાં ગુજરાતમાં એક પણ કેસ નથી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી જૂની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના એક પણ કેસ એક્ટિવ નથી. ગુજરાતમાં 281 કેસ એક્ટિવ હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર અમદાવાદમાં કોરોનાની ચોથી લહેર આવી છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context


