પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો પાકિસ્તાનનો નહીં પરંતુ વર્ષ 2015માં ચિલેમાં આવેલા પૂરનો છે. હાલનો પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારત દ્વારા પાણી તરફ જતી નદીઓનું પાણી રોકવામાં આવ્યુ હતુ, જેને લઈ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નદીમાં આવેલા પૂરનું દ્રશ્ય જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત દ્વારા પણી છોડ્યા બાદ પાકિસ્તાનમાં આવેલા પૂરનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત દ્વારા પણી છોડ્યા બાદ પાકિસ્તાનમાં આવેલા પૂરનો આ વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનસોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Euronews ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 1 એપ્રિલ 2015ના અપલોડ કરવામાં આવ્યો હતો અને તેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ચિલીમાં ભયંકર પૂરમાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા છે અને લગભગ 50 લોકો ગુમ છે. મંગળવારથી શરૂ થયેલો વરસાદ, પૃથ્વી પરના સૌથી સૂકા પ્રદેશોમાંના એક, અટાકામા પ્રદેશમાં 80 વર્ષમાં પડેલો સૌથી ખરાબ વરસાદ હતો. એન્ડીઝમાં ભારે વરસાદ પછી નદીઓ તેમના કાંઠા છલકાઈ ગઈ હતી જેના કારણે પૂરનું પાણી ખીણો અને નીચેના નગરોમાં વહી ગયું હતું. લગભગ 11,000 લોકો પ્રભાવિત થયા છે અને 4,500 થી વધુ લોકો આશ્રયસ્થાનોમાં છે. ગૃહમંત્રી રોડ્રિગો પેનાઇલિલોએ જણાવ્યું હતું કે આખા શહેરો પીવાના પાણીથી વંચિત રહી ગયા છે.”
ધ ગાર્ડિયન દ્વારા પણ આ જ માહિતી સાથેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો પાકિસ્તાનનો નહીં પરંતુ વર્ષ 2015માં ચિલેમાં આવેલા પૂરનો છે. હાલનો પાકિસ્તાનનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ભારત દ્વારા નદીમાં પાણી છોડાયા બાદ પાકિસ્તાનમાં પૂર આવ્યુ તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
