પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વિરાટ કોહલીની રણુજાના રામાપીર મંદિરની મુલાકાત દરમિયાનનો નહીં પરંતુ અયોધ્યાના હનુમાન ગઢી મંદિરની મુલાકાત દરમિયાનનો છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એક મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. જેમાં દર્શન કરતા સમયે પુજારી વિરાટ કોહલીને આશીર્વાદ આપતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ગુજરાતમાં રણુજામાં આવેલા રામાપીરના દર્શને આવ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ગુજરાતમાં રણુજામાં આવેલા રામાપીરના દર્શને આવ્યા હતા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ANI દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ક્રિકેટના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને તેમની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ યુપીના પ્રાચીન ભારતીય શહેર અયોધ્યાની મુલાકાત લીધી હતી. આ સેલિબ્રિટી દંપતીએ અયોધ્યા રામ મંદિરમાં આશીર્વાદ લીધા બાદ પૂજનીય હનુમાન ગઢી મંદિરમાં પ્રાર્થના કરી હતી. ANI સાથે વાત કરતા, હનુમાન ગઢી મંદિરના મહંતે જણાવ્યું હતું કે દંપતીની મુલાકાત સનાતન ધર્મ, આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના તેમના પ્રેમને પ્રતિબિંબિત કરે છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટુડે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સહિતના મીડિયા આઉટલેટ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વિરાટ કોહલીની રણુજાના રામાપીર મંદિરની મુલાકાત દરમિયાનનો નહીં પરંતુ અયોધ્યાના હનુમાન ગઢી મંદિરની મુલાકાત દરમિયાનનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર વિરાટ કોહલી રણુજાના રામાપીરના દર્શને આવ્યા હતા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
