પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને કાશ્મીર સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયોને દિલ્હી રમખાણો સાથે કોઈ સંબંધ નથી. આ વિડિયોને સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કેટલાક ઘાયલ યુવકો અજાણ્યા રસ્તા પર પડેલા જોઈ શકાય છે. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો કાશ્મીરનો છે, જ્યાં રાજસ્થાનના ઘણા મુસ્લિમ છોકરાઓ ફરવા ગયા હતા અને ત્યાં જઈને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. જેને સેનાના જવાન દ્વારા મારમારવામાં આવ્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jinal Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો કાશ્મીરનો છે, જ્યાં રાજસ્થાનના ઘણા મુસ્લિમ છોકરાઓ ફરવા ગયા હતા અને ત્યાં જઈને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. જેને સેનાના જવાન દ્વારા મારમારવામાં આવ્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને મુંબઈ મિરરની વેબસાઇટ પર 29 ફેબ્રુઆરી 2020ના અહેવાલમાં આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ 2020માં દિલ્હી રમખાણો સાથે જોડાયેલી ઘટના છે. વિડિયોમાં દેખાતો ઘાયલ યુવક, જેને દિલ્હી પોલીસના જવાનોએ રાષ્ટ્રગીત ગાવા માટે મજબૂર કર્યો હતો, તેનું પાછળથી મોત થયું હતું. આ યુવકની ઓળખ ફૈઝાન તરીકે થઈ હતી.
તેમજ વધુ સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પ્લસના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પર પણ આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ જે વિડિયો દિલ્હીનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેમજ જે યુવાનનું મૃત્યુ થયુ તે યુવકની માતાનું નિવેદન પણ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેમણે દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે, “તેમના પુત્રને ઈજાગ્રસ્ત હોવા છતાં બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને આ દરમિયાન તેને કોઈ તબીબી સહાય પૂરી પાડવામાં આવી ન હતી. બાદમાં પોલીસકર્મીઓ તેને હોસ્પિટલ લઈ આવ્યા હતા પરંતુ તેને બચાવી શકાયો ન હતો.”
આ ઘટનાનો વિડિયો 29 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય સમાચાર અહેવાલોમાં પણ આ વિડિયોને જોઈ શકાય છે અને તમામ અહેવાલોમાં તે દિલ્હી રમખાણો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને કાશ્મીર સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયોને દિલ્હી રમખાણો સાથે કોઈ સંબંધ નથી. આ વિડિયોને સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:રાજસ્થાનના મુસ્લિમ યુવકોને કાશ્મીર પોલીસ દ્વારા મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
