વીડિયોમાં દેખાતા વૃધ્ધ વ્યક્તિને “ભારત માતા કી જય” બોલવા બદલ માર મારવામાં ન આવ્યો હતો. રાજસ્થાનના ભિલવાડામાં ફેરિયાઓ વચ્ચે થયેલી બબાલનો આ વીડિયો છે. પોલીસે દ્વારા આ વીડિયોને ધાર્મિક રંગના ન આપવા વિનંતી કરવામાં આવી છે. તેમજ આ વીડિયોને અમદાવાદ સાથે કોઈ લેવા-દેવા નથી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વૃદ્ધ વ્યક્તિને લોકોનું ટોળુ ભેગુ થઈને મારમારી રહ્યુ છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદના લાલદરવાજા પાસે હિંદુ સાધુને લોકો દ્વારા ભારત માતાની જય બોલવા બદલ મારમારવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ યુઝર દ્વારા તારીખ 14 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદના લાલદરવાજા પાસે હિંદુ સાધુને લોકો દ્વારા ભારત માતાની જય બોલવા બદલ મારમારવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ વિડિયોને જુદા-જુદા કીવર્ડ્સ સાથે શોધતા જાણવા મળ્યુ હતું કે, ત્રણ વર્ષથી આ વીડિયો ઇન્ટરનેટ પર વિવિધ દાવા સાથે ફરતો થઈ રહ્યો છે. ખરેખર આ ઘટના રાજસ્થાનના ભિલવાડા શહેરમાં બની હોવાનું જાણવા મળ્યુ હતુ.
જ્યારે સત્ય જાણવા ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીની ટીમે ભિલવાડાના કોતવાલી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના ભીલવાડા શહેરના આઝાદ ચોકમાં 15 ઓક્ટોબર 2019 ના રોજ બની હતી. આ વૃધ્ધ વ્યક્તિનું નામ હોતચંદ સિંધી છે. આ અંગે તેમના પુત્ર સોનુ જેઠાણીએ ગુનો નોંધ્યો હતો. પોલીસે હેમુ સિંધી, ઇલુ સિંધી, ભગવાન સિંધી ઉર્ફે મનોજ, મંજુર શેખ, આસિફ શેખ, શાયબ શેખ અને પોલા શેખ સહિતાના આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યુ હતુ કે, હોતચંદ સિંધી દ્વારા ઘટના સ્થળે તેઓ અન્ય ફેરિયાવારાઓને ગાળો આપી રહ્યા હતા. અને તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવી રહ્યા હતા. આ બધા સાથે તેમનો જુનો વિવાદ છે. 15 ઓક્ટોબર ના સવારે 11 વાગ્યે હોતચંદે આ ફેરિયાઓ સાથે બબાલ કરી હતી.
આ અંગે અનેક દાવાઓ સાથે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. ત્યારે વિડિયો વાયરલ થયા બાદ અકાલી દળના રાષ્ટ્રીય પ્રવક્તા મઝિન્દર એસ સિરસાએ ટ્વીટ કરીને આ ઘટના અંગે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યુ છે કે, હિન્દુ-મુસ્લિમ વિવાદ અથવા “ભારત માતા કી જય” ના કારણે હોતચંદને માર મારવામાં આવ્યો ન હતો. તે ફક્ત તેમની વચ્ચે થયેલા વિવાદનો હતો. હાલમાં તે તેના ભાઇ પર ખૂની હુમલો કરવાના આરોપસર જેલમાં છે. એટલું જ નહીં હોતચંદની તેની પત્નીની હત્યા કરવા બદલ પણ ધરપકડ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતા વૃધ્ધ વ્યક્તિને “ભારત માતા કી જય” બોલવા બદલ માર મારવામાં ન આવ્યો હતો. રાજસ્થાનના ભિલવાડામાં ફેરિયાઓ વચ્ચે થયેલી બબાલનો આ વીડિયો છે. પોલીસે દ્વારા આ વીડિયોને ધાર્મિક રંગના ન આપવા વિનંતી કરવામાં આવી છે. તેમજ આ વીડિયોને અમદાવાદ સાથે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ભારત માતાની જય બોલવા બદલ વૃધ્ધને મારમારવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…
Written By: Frany KariaResult: False
