તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત ખાતે યોજાયેલ G20 શિખર સંમેલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં વાગી રહેલા ભજન રઘુપતિ રાઘવ રાજારામમાંથી અલ્લાહ શબ્દ હટાવીને બીજા શબ્દો મૂકવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. રઘુપતિ રાઘવ રાજારામ ભજનમાંથી અલ્લાહ શબ્દ હટાવવામાં નથી આવ્યો. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Lalit Jain નામના ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં વાગી રહેલા ભજન રઘુપતિ રાઘવ રાજારામમાંથી અલ્લાહ શબ્દ હટાવીને બીજા શબ્દો મૂકવામાં આવ્યા છે.

Instagram Post

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અમને 10 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થયેલો મળ્યો હતો. આ વીડિયો સાથેની માહિતીમાં એવું જણાવવામાં આવ્યું છે કે, G20 નેતાઓએ નવી દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સંપૂર્ણ વીડિયો જોયા પછી, અમે સમજી ગયા કે, રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાંથી "અલ્લાહ" શબ્દ દૂર કરવામાં આવ્યો નથી. આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે.

નીચે તમે વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. રઘુપતિ રાઘવ રાજારામ ભજનમાંથી અલ્લાહ શબ્દ હટાવવામાં નથી આવ્યો. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:G20 સમિટ દરમિયાન રાજઘાટ મુલાકાતના વીડિયોમાં રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાંથી “અલ્લાહ” શબ્દ હટાવવામાં આવ્યો નથી...

Written By: Vikas Vyas

Result: Altered