હાર્દિક પટેલ દ્વારા હાલમાં ભાજપામાં રહેતા આ નિવેદન આપવામાં આવ્યુ નથી. આ નિવેદન તેમણે વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયે આપ્યુ હતુ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તેમની ભૂમિ તૈયાર કરી છે. ત્યારે હાલમાં હાર્દિક પટેલનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એનડીટીવીને આપેલા નિવેદનમાં જણાવી રહ્યા છે કે, અરવિંદ કેજરીવાલ ડેવલ્પોમેન્ટ ઓફ ઈન્ડિયા. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ અંગે હાર્દિક પટેલ દ્વારા હાલમાં ભાજપામાં રહેતા આ નિવેદન આપવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujarat Jagshe Kejriwal Aavshe – ગુજરાત જાગશે કેજરીવાલ આવશે નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અરવિંદ કેજરીવાલ અંગે હાર્દિક પટેલ દ્વારા હાલમાં ભાજપામાં રહેતા આ નિવેદન આપવામાં આવ્યુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને એનડીટીવીની ઓફિશીયલ યુટ્યુબ ચેનલ પર આ ઇન્ટરવ્યુનો સંપૂર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 19 જૂલાઈ 2016ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
જેમાં રિપોર્ટર દ્વારા એક બાદ એક નેતાઓ અંગે તેમને પ્રશ્ન પુછવામાં આવી રહ્યા હતા અને કેજરીવાલ અંગે પુછવામાં આવતા તેમણે ડેવલોપમેન્ટ ઓફ ઇન્ડિયા કહેતા સાંભળી શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, હાર્દિક પટેલના નિવેદનનો આ વિડિયો હાલનો નહિં પરંતુ 19 જૂલાઈ 2016નો છે. જે સમયે તેઓ પાટીદાર અનામાત આંદોલન ચલાવી રહ્યા હતા અને કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા ન હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:હાર્દિક પટેલ દ્વારા વર્ષ 2016માં આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવવામાં આવી રહ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
