રોહિત શર્માનો કેચ છોડવામાં આવ્યો ન હતો. ઓસ્ટ્રિલયન ફિલ્ડર હેડ દ્વારા આ કેચને સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. જમીન પર બોલ પડી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાલ પર સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચમાં ટ્રેવિસ હેડ પાસેથી રોહિત શર્માનો કેચ પડ્યો હતો. અમ્પાયરે ખોટો આઉટ આપ્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચમાં ટ્રેવિસ હેડ પાસેથી રોહિત શર્માનો કેચ પડ્યો હતો. અમ્પાયરે ખોટો આઉટ આપ્યો હતો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આઈસીસી વર્લ્ડ કપ 2023ની વેબસાઈટ પર તપાસ કરતા અમને ફાઈનલ મેચની હાઈલાઈટ જોવા મળી, જેમાં રોહિત શર્માનો કેચ જોઈ શકાય છે. બંને એંગલ પરથી જોતા જ સ્પષ્ટ થઈ જાય છે કે, કેચ સંપૂર્ણ થયો છે. કેચ ડ્રોપ થયો હોવાની વાત તદ્દન ખોટી છે. આ હાઈલાઈટ તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.
તેમજ હોટસ્ટાર પર સંપૂર્ણ મેચ જોઈ શકો છો. જેમા જૂદા-જૂદા એંગલથી અને સ્લો મોશનમાં તમે આ કેચને જોઈ શકો છો.
તેમજ આઈસીસી દ્વારા તેમના ઓફિશિયલ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ કેચનો વીડિયો અપલોડ કર્યો હતો. જે પણ તમે સ્લો મોશનમાં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભારતીય કપ્તાન રોહિત શર્માનો કેચ ડ્રોપ ન હતો થયો, ટ્રેવિસ હેડ દ્વારા કેચને પૂર્ણ કરવામાં આવ્યો હતો. બોલ જમીન પર અડ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં રોહિત શર્માનો કેચ છુટી ગયો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
