
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિસાન આંદોલન ને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દિપેન્દ્ર હુંડાના નામથી વાયરલ મેસેજને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દિપેન્દ્ર હુંડા દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપી અને કિસાન આંદોલનમાં જોડાયા હતા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ સાંસદ દિપેન્દ્ર હૂડા દ્વારા તેમના પદ પરથી કોઈ રાજીનામુ આપવામાં નથી આવ્યુ. આ માહિતી તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhan Vagar No Manash નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિપેન્દ્ર હુંડા દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપી અને કિસાન આંદોલનમાં જોડાયા હતા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ. પરંતુ રાજ્યસભાના સાંસદ દિપેન્દ્ર હુડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યુ હોય તેવા કોઈ અહેવાલ પ્રાપ્ત થયા ન હતા.
ત્યારબાદ અમે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લીધી હતી. ત્યા અમને તેમનું ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ જેમાં અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો પ્રાપ્ત શેર કરવામાં આવ્યો હતો અને ટ્વીટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, તેઓ રાકેશ ટિકૈતની તબિયત વિશે અને ખેડૂતો સાથે વાત કરવા માટે ગયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે સાંસદ દિપેન્દ્ર હૂડાનો સંપર્ક કર્યો જેણે અમને પુષ્ટિ આપી કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ તદ્દન ખોટી છે. તેમણે કહ્યું કે, “મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં કોઈ તથ્ય નથી. હું લોકોને આગ્રહ કરું છું કે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ સાંસદ દિપેન્દ્ર હૂડા દ્વારા તેમના પદ પરથી કોઈ રાજીનામુ આપવામાં નથી આવ્યુ. આ માહિતી તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર સાંસદ દિપેન્દ્ર હુડા દ્વારા તેમના પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યુ…?
Fact Check By: Yogesh KariaResult: False
