મોહન કુંડરિયા દ્વારા આજ થી સાત વર્ષ પહેલા આ પોસ્ટ શેર કરી હતી. તે સમયે તમામ મીડિયા હાઉસ દ્વારા પણ તેમની નોંધ લેવામાં આવી હતી.

રાજકોટ લોકસભાના ભાજપાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ પહેલાથી જ ભારે વિવાદ ત્યારે એક ન્યુઝ પેપરનું એક ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સાંસદ મોહન કુંડરિયાએ પોસ્ટ કર્યુ ભાજપ ભગાવો દેશ બચાવો !” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાંસદ મોહન કુંડારિયાની રાજકોટથી ટિકિટ કપાતા વિરોધના સુર છેડયા હતા અને આ પોસ્ટ શેર કરી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાંસદ મોહન કુંડારિયાની રાજકોટથી ટિકિટ કપાતા વિરોધના સુર છેડયા હતા અને આ પોસ્ટ શેર કરી હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ પર સર્ચ કરતા અમને આ જ ન્યૂઝ પેપરનું ક્ટિંગ અમને 18 સપ્ટેમ્બર 2017ના એક ફેસબુક પોસ્ટ પર પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ખબર છે.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે મોહન કુંડરિયાની આ જ પોસ્ટના વિવાદને લઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મોહન કુંડારિયા દ્વારા આજ થી સાત વર્ષ પહેલા આ પોસ્ટ શેર કરી હતી. તે સમયે તમામ મીડિયા હાઉસ દ્વારા પણ તેમની નોંધ લેવામાં આવી હતી. હાલમાં મોહન કુંડારિયાની ટિકિટ કપાતા તેમણે પોસ્ટ કરી હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:મોહન કુંડારિયાની સાત વર્ષ જૂની પોસ્ટને લઈ ફરી તેમની ટાર્ગેટ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
