શું ખરેખર 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય પોસ્ટના ખાતાધારકોને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા દરેક ખાતાધારકોને 1 એપ્રિલથી ઉપાડના દરેક ટ્રાન્જેક્શન પર 25 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા આ દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભારતીય પોસ્ટ દ્વારા આ પ્રકારે ચાર્જ વસૂલવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ભ્રામક માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Natpurnews Natpurnews  નામના ફેસબુક પેજ દ્વારા 26 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મોટો ઝાટકો, 1 એપ્રિલથી દરેક ઉપાડ પર લાગશે 25 રૂપિયાનો ચાર્જ. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતા દરેક ખાતાધારકોને 1 એપ્રિલથી ઉપાડના દરેક ટ્રાન્જેક્શન પર 25 રુપિયા ચાર્જ ચૂકવવો પડશે.

screenshot-www.facebook.com-2021.03.11-17_28_00.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા 10 માર્ચ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય પોસ્ટ દ્વારા ખાતાધારકોના રોકડ ઉપાડ પર ચાર્જ વસૂલવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

Archive

આ માહિતીને અમે ભારતીય પોસ્ટની વેબસાઈટ પર પણ શોધવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ઈન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેન્કના અધિકારી સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા 1 એપ્રિલથી દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ લગાવવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, 1 એપ્રિલથી ભારતીય પોસ્ટ દ્વારા ખાતાધારકોના રોકડ ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ માહિતી તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસમાં દરેક ઉપાડ પર 25 રુપિયા ચાર્જ વસૂલવામાં આવશે…?

Fact Check By: Vikas Vyas 

Result: False