ભાજપાના લદાખના સાંસદ જામ્યાંગ ત્સેરિંગ દ્વારા આ પ્રકારે નિવેદન ક્યારેય આપવામાં આવ્યુ નથી. તેમના નામે આ ફેક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે.

લદ્દાખમાં રાજકારણ ગરમાયું છે કારણ કે ભાજપના વર્તમાન સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, જેમને ગયા દિવસે પાર્ટીએ ટિકિટ નકારી હતી. ભાજપે લદ્દાખ લોકસભા બેઠક પરથી તાશી ગ્યાલ્સનને પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ પૃષ્ઠભૂમિમાં, જમ્યાંગ ત્સેરિંગ નમગ્યાલને લદ્દાખના લોકોને ભાજપમાં જોડાવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા બદલ તેમને માફ કરવાનું કહેતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લદ્દાખના સાંસદ જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલે નિવેદન આપ્યુ હતુ કે, ભાજપ અને પીએમ મોદીને સમર્થન આપવુંએ તેમનો સૌથી ખરાબ નિર્ણય હતો.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કર્યુ કે જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલ દ્વારા ખરેખર આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ છે કે કેમ, પરંતુ અમને કોઈ એવી માહિતી પણ નહીં જે પૃષ્ટી કરી કે તેમના દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોય.

ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રાપ્ત થઈ હતી. તેમણે સ્પષ્ટતા કરી કે, આ એક ફેક નિવેદન છે જે તેમણે ક્યારેય આપ્યું નથી.

તેમના દ્વારા અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી 25 એપ્રિલ, 2024ના રોજ તેમને ખોટી રીતે આભારી નિવેદન વિશે સ્પષ્ટતા પોસ્ટ કરી હતી. તેમણે ખોટા એટ્રિબ્યુશનને ટાંકીને લખ્યું; “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં આ શબ્દો ક્યારેય બોલ્યા નથી. મારા નામનો દુરૂપયોગ કરીને ખોટા નિવેદનો ફેલાવનારાઓની હું સખત નિંદા કરું છું. એક વફાદાર ભાજપ કાર્યકર્તા તરીકે, મેં હંમેશા અમારા સૌથી ગતિશીલ નેતા શ્રીનરેન્દ્ર મોદીજીની પ્રશંસા કરી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભાજપાના લદાખના સાંસદ જામ્યાંગ ત્સેરિંગ દ્વારા આ પ્રકારે નિવેદન ક્યારેય આપવામાં આવ્યુ નથી. તેમના નામે આ ફેક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભાજપાને લઈ લદ્દાખના સાંસદ જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલના નિવેદનનું જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: False