
ઈંઘણના ભાવ દિવસે-દિવસેને ખૂબ વધી રહ્યા છે પેટ્રોલ-ડિઝલના ભાવ દેશના ઘણા રાજ્યોમાં 100 રૂપિયાને પાર ચાલ્યા ગયા છે, તે વચ્ચે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, મોદી સરકાર નવી વ્યવસ્થા લાવી રહી છે જે અંતર્ગત વિજળીના ભાવમાં વધારો કરવામાં આવશે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પેટ્રોલના ભાવની જેમ સરકાર દ્વારા વિજળીના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી બે વર્ષ જૂની છે. સરકાર દ્વારા હાલમાં વિજ દરોના ભાવ વધારાને લઈ કોઈ વિચારણા હાથ ધરવામાં આવી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Prem Patel Patan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પેટ્રોલના ભાવની જેમ સરકાર દ્વારા વિજળીના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2018ની એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ જ ન્યુઝ પેપરનું કટિંગ શેર કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ગૂગલ પર સર્ચ કરતા અમને વર્ષ 2018નો નવભારત ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ માહિતી આપવામાં આવી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, આ માહિતી વર્ષ 2018ની છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલમાં વિજળીના ભાવ વધારાને લઈ કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. તેમજ આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ પણ હાલ વિચાર હેઠળ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી બે વર્ષ જૂની છે. સરકાર દ્વારા હાલમાં વિજ દરોના ભાવ વધારાને લઈ કોઈ વિચારણા હાથ ધરવામાં આવી નથી.
