પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કર્ણાટકનો નહિં પરંતુ મહારાષ્ટ્રના અકોલાનો હનુમાન જયંતિ દરમિયાનનો છે.

ગત શનિવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યુ હતુ. દરમિયાન કોંગ્રેસ દ્વારા બજરંગ બલીના નામ સાથે સોશિયલ મીડિયામાં ખૂબ જ કોમ્પિયન ચલાવવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે વાનરોને ભોજન કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાનરોને ભોજન કરવતો આ વીડિયો કર્ણાટકનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
DrParisha B Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાનરોને ભોજન કરવતો આ વીડિયો કર્ણાટકનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપી માંઝા દ્વારા 6 એપ્રિલ 2023ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મહારાષ્ટ્રના અકોલામાં હનુમાન જયંતિ નિમિત્તે વાંદરાઓનું અનોખું પ્રદર્શન.”
તેમજ અમે વધુ તપાસ કરતા અમને આજતક દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “અકોલામાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી.હનુમાન જયંતિ નિમિત્તે વાંદરાઓને લંગરમાં ભોજન આપવામાં આવ્યું.વાંદરાઓએ કતારમાં બેસીને ખાધું.વાંદરાઓની આ શિસ્તનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના બરશી ટાકલી તાલુકાનું એક મોટું ઈતિહાસ ધરાવતું નાનું ગામ છે. અહીં, સ્થાનિક ‘આશ્રમ’, ‘મુંગસાજી મહારાજ આશ્રમ’ ના મુખ્ય પૂજારી રામદાસ મહારાજ શિંદેએ, સ્ટેનલેસ સ્ટીલ પ્લેટોમાં શિસ્તબદ્ધ રીતે શાંતિપૂર્વક આનંદ માણતા લંગુરોની ટુકડીને હનુમાન જયંતિની સેવા આપી હતી. લંગુરોએ તેમની બાજુમાં ભોજન કરતા માણસોને પણ ખલેલ પહોંચાડી ન હતી. આ ટ્રીટના ફોટા અને વીડિયો સમગ્ર રાજ્યમાં વાયરલ થયા હતા.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કર્ણાટકનો નહિં પરંતુ મહારાષ્ટ્રના અકોલાનો હનુમાન જયંતિ દરમિયાનનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: શું ખરેખર વાનરોને ભોજન કરવતો વીડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
