
છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં સાચા ખોટા સમાચારો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂતોને મળતી કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજ પર સરકાર દ્વારા 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે થી 7 ટકાની જગ્યાએ 12 ટકા વ્યાજ લાગશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર 5 ટકા વ્યાજ દરનો વધારો નથી કરવામાં આવ્યો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
M. Patel Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ખેડૂતોને મળતી કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજ પર સરકાર દ્વારા 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે થી 7 ટકાની જગ્યાએ 12 ટકા વ્યાજ લાગશે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને આરબીઆઈની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ અમને કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજના દરમાં ફેરફાર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પરંતુ અમને ઓગસ્ટ 2019ની આરબીઆઈનું એક નોટિફિકેશન પ્રાપ્ત થયુ હતુ. જેમાં વર્ષ 2018-19 અને 2019-20ના બે લાખ રૂપિયા સુધીની કેસીસી લોન પર 7 ટકા ફરજિયાત વ્યાજ દર નક્કી કરવામાં આવ્યુ હતું.
તેમજ આ અંગે પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી અને આ સમાચાર ખોટા હોવાની પૃષ્ટી કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર 5 ટકા વ્યાજ દરનો વધારો નથી કરવામાં આવ્યો.લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર કેસીસી લોનના વ્યાજમાં સરકાર દ્વારા 5% નો વધારો કરવામાં આવ્યો….?
Fact Check By: Yogesh KariaResult: False
