
ગુજરાત ખાતે તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ ચારેતરફ અરેરાટી મચાવી દીધી છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાત ખાતે તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો વીડિયો વર્ષ 2020 નો છે. જેમાં વિજય રુપાણી ગુજરાતમાં દારુબંધી મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરી રહ્યા છે. જેથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ વીડિયોને ગુજરાતમાં તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Prakash Malivad નામના ફેસબુક પેજ દ્વારા 26 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, #લઠ્ઠાકાંડ ગુજરાત. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાત ખાતે તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરવામાં આવ્યા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એખ સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને કરતાં અમને એબીપી અસ્મિતા દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર વર્ષ 2019 માં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં દારુબંધી મુદ્દે અશોક ગહેલોતે વિવાદાસ્પદ નિવેદન આપતાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેમના પર પ્રહાર કર્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. GSTV NEWS | DeshGujaratHD
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનો વીડિયો વર્ષ 2020 નો છે. જેમાં વિજય રુપાણી ગુજરાતમાં દારુબંધી મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરી રહ્યા છે. જેથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ વીડિયોને ગુજરાતમાં તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી.

Title:જાણો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર પ્રહાર કરી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
