શું ખરેખર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઠંડીએ ખુબ જોર પક્ડ્યુ છે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે, “ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને રાત્રીના બહાર ન જવા સુચના આપવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vaibhav Trivedi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે અને લોકોને રાત્રીના બહાર ન જવા સુચના આપવામાં આવી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. 

જો આ પ્રકારે કોઈ ચેતવણી આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હોય તો તમામ સ્થાનિક મિડિયા દ્વારા તે અંગે અહેવાલ પ્રકાશિત કર્યા હોય છે. તેથી સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે એમડી ડોક્ટર કૃણાલ સોલંકીનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલમાં ગુજરાતમાં 6 થી 7 ડિગ્રી તાપમાન રહેતુ હોય છે. પરંતુ આ પ્રકારની તકલીફ બધાને થાય તેવું નથી, હ્યદય રોગના દર્દી અને મોટી ઉંમરના લોકોને તકલીફ થઈ શકે છે અને આટલી તકલીફ તો ભાગ્યે જ કોઈને થઈ શકે છે.” 

તેમજ અમે ગુજરાત આરોગ્ય વિભાગના કમિશ્નરના પીએ હરેશ મહેતાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ચેતવણી ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી નથી તેમજ હાલમાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોનાના કારણે નાઈટ કર્ફ્યુ પણ અમલી છે. છતા પણ લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

Avatar

Title:શું ખરેખર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી…?

Fact Check By: Yogesh Karia 

Result: False