![](https://gujarati.factcrescendo.com/wp-content/uploads/2019/12/Thubnail-Post-No-15-dhiraj-1-1024x576.png)
Afzal Tarki નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નીતા અંબાણી ને જો મુસ્લિમો થી અને ઇસ્લામ ધર્મ થી આટલી નફરત છે માટે હું આજેજ રિલાયન્સ જિયો, રિલાયન્સ પેટ્રોલ, અને રિલાયન્સ મોલ, અને રિલાયન્સ ની તમામ પ્રોડક્ટ નો બહિષ્કાર કરું છું હું આજેજ જિયો માંથી બીજી કોઈપણ કંપની માં પોર્ટ કરવું છુ અને જે કોઇપણ વ્યક્તિ અલ્લાહ અને તેના રસુલ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ થી મહોબ્બત કરતા હોય તે બધા પણ રિલાયન્સ ની તમામ પ્રોડક્ટ નો બહિષ્કાર કરે જો આજે આપણે ચૂપ રહીશું તો આવતા સમય માં તમામ કંપનીઓ મુસ્લિમો ને કામે પણ નહીં રાખે માટે મહેરબાની કરી અલ્લાહ ના વાસ્તે આજ થી જ રિલાયન્સ નો બહિષ્કાર કરવાનું ચાલુ કરી દયો. Boycott Mukesh ambani Reliance products Gautam adani Products That it!. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નીતા અંબાણી દ્વારા મુસ્લિમ વિરોધી ટ્વિટ કરવામાં આવી અને CAA તેમજ NRC ને સમર્થન કરવામાં આવ્યું છે. તેમના મનમાં મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત ભરેલી છે તેથી સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા રિલાયન્સની તમામ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની માહિતી પણ આપવામાં આવી છે. આ પોસ્ટને 6 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
![](https://gujarati.factcrescendo.com/wp-content/uploads/2022/01/img_61dfd4630c28f.png)
Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ નીતા અંબાણી દ્વારા CAA અને NRC નું સમર્થન કરવામાં આવ્યું અને મુસ્લિમ સમાજ વિરોધી ટ્વિટ કરવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ એકાઉન્ટ પરથી કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
![](https://gujarati.factcrescendo.com/wp-content/uploads/2022/01/img_61dfd4639fe8c.png)
આ ઉપરાંત પોસ્ટમાં મૂકવામાં આવેલી તમામ ટ્વિટને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ તમામ ટ્વિટ @NitaAmbaani નામના ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી. તો અમે ટ્વિટર પર આ એકાઉન્ટને શોધવાની કોશિશ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે.
![](https://gujarati.factcrescendo.com/wp-content/uploads/2022/01/img_61dfd464c29ff.png)
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, અન્ય કેટલાક ફેક્ટ ચેકર દ્વારા પણ આ માહિતીની સત્યતા તપાસવામાં આવી હતી. જેમાં પણ નીતા અંબાણીના આ એકાઉન્ટને એક ફેક એકાઉન્ટ ગણાવીને આ માહિતી ખોટી હોવાની માહિતી આપવામાં આવી હતી. વધુમાં નીતા અંબાણીનું કોઈ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ન હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
bhaskar.com | timesnowhindi.com | boomlive.in | hindi.news18.com |
અમારી વધુ તપાસમાં અમને Bhakt’s Nightmare દ્વારા 20 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નીતા અંબાણીના જે ફેક ટ્વિટર પરથી લોકોને ગેરમાર્ગે દોરવા માટે જે ટ્વિટ કરવામાં આવી હતી એ એકાઉન્ટને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં નીતા અંબાણીના જે ટ્વિટર એકાઉન્ટ પરથી CAA અને NRC ના સમર્થન તેમજ મુસ્લિમ સમાજ વિરોધી જે ટ્વિટ કરવામાં આવી એ એક ફેક એકાઉન્ટ હોવાથી તેને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નીતા અંબાણીના જે ટ્વિટર એકાઉન્ટ પરથી CAA અને NRC ના સમર્થન તેમજ મુસ્લિમ સમાજ વિરોધી જે ટ્વિટ કરવામાં આવી એ એક ફેક એકાઉન્ટ હોવાથી તેને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
![Avatar](https://gujarati.factcrescendo.com/wp-content/uploads/2022/01/False.png)
Title:શું ખરેખર નીતા અંબાણી દ્વારા CAA અને NRC ના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
![](https://gujarati.factcrescendo.com/wp-content/uploads/2019/04/Whats-app-Gujarati.png
)