પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ હાલમાં આપવામાં આવ્યો નથી. તેમજ આ મેસેજ છેલ્લા 4 વર્ષથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે.

હાલમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નામથી વાયરલ મેસેજ અંગે જણાવવામાં આવી રહ્યુ છે કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર સુચના, સોગંધ વાળા મેસેજ અસ્લીલ વિડિયો મોકલનારને રોકડ દંડ અને કેદની સજા થશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર સુચના, સોગંધ વાળા મેસેજ અસ્લીલ વિડિયો મોકલનારને રોકડ દંડ અને કેદની સજા થશે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ અંગે સર્ચ કરતા અમને આ જ પોસ્ટર 27 જૂન 2019ના ફેસબુક પર પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને આઈએમગુજરાતનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વાયરલ થયેલો આ મેસેજ સાવ ફેક છે. તે લોકોને સાચો લાગે તે માટે ગુજરાત હાઈકોર્ટનો તેમાં ઉલ્લેખ કરાયો છે. પરંતુ હકીકત એ છે કે, ગુજરાત હાઈકોર્ટે આવો કોઈ આદેશ ક્યારેય આપ્યો જ નથી. એટલું જ નહીં, WhatsApp પર ઉશ્કેરણીજનક કે જેનાથી હિંસા ફેલાઈ શકે તે સિવાયના મેસેજ કોઈને મોકલવામાં કોઈ કાયદાનો ભંગ નથી થતો.

IamGujarat | Archive

ત્યારબાદ અમે હાઈકોર્ટના વકિલ અનીલ મહેતા જોડે વાત કરી હતી તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે હાઈકોર્ટ દ્વારા કયારેય કોઈ આદેશ કરવામાં આવ્યા નથી. લોકોને ભ્રામક કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ ખોટો મેસેજ છે. જે-તે સમયે મેસેજ ખૂબ વાયરલ થયો હતો, જો કે, આ પ્રકારે કોઈ આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા નથી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ હાલમાં આપવામાં આવ્યો નથી. તેમજ આ મેસેજ છેલ્લા 4 વર્ષથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી.... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False