શું ખરેખર BJP નેતા કપિલ મિશ્રા દ્વારા ખેડૂતોને અલ્ટિમેટમ આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કપિલ મિશ્રાનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે “किसान 2 दिन मे रास्ता खाली करे, वरना मुजे आना पडेगा रास्ता खाली करवाने : कपिल मिश्रा, भाजपा नेता” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપા નેતા કપિલ મિશ્રા દ્વારા આ પ્રકારનું નિવેદન આપી ખેડૂતોને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કપિલ મિશ્રા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન ક્યારેય પણ આપવામાં આવ્યુ નથી. તેમના નામે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Satishsinh Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપા નેતા કપિલ મિશ્રા દ્વારા આ પ્રકારનું નિવેદન આપી ખેડૂતોને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યુ છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે કપિલ મિશ્રાના ઓફિસિયલ ટ્વિટર, ફેસબુક, એકાઉન્ટની મુલાકાત લીધી હતી. પરંતુ આ પ્રકારે કોઈ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ.

ત્યારબાદ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં અમને ટીવીનાઈન ભારતવર્ષનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ભાજપાના કપિલ મિશ્રા કિસાનો પર નિવેદન આપી રહ્યા છે. તેમાં તેઓ ક્યાંય પણ કિસાનોને અલ્ટિમેટમ આપવાની વાત નથી કરી રહ્યા છે. આ નિવેદન તમે નીચે જોઈ શકો છો. 

Archive

કપિલ મિશ્રા દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી પણ આ નિવેદન શેર કરવામાં આવ્યુ હતુ. જે પણ તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/KapilMishraIND/posts/3611527262294582?__cft__[0]=AZXgPvNVnwvZyairjqiKtIfKwH_QJkGqZ3Srd7b2MBarIYsG77s_m2BqxvYZVLLN2QFqNbUVWdwVPujlJu2TjOVYH7U9YUvDcej39g_HOexTyrJAVam2LXeDHw7GU8ob0-GRZM_sLyHSBRYr-3C7q7fpZ9KeNRd5SU6yCliVzUAiJA&__tn__=%2CO%2CP-R

ARCHIVE

તેમજ અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે સીધો જ કપિલ મિશ્રાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિવેદન મારા દ્વારા આપવામાં આવ્યુ નથી. મારે જે કઈ પણ નિવેદન આપવું હોય છે. તે હું મારા ઓફિશિયલ એકાઉન્ટ પરથી આપુ છુ, મારા નામે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર BJP નેતા કપિલ મિશ્રા દ્વારા ખેડૂતોને અલ્ટિમેટમ આપવામાં આવ્યુ….?

Fact Check By: Yogesh Karia 

Result: False