તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક પૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેદારનાથ ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં કેદારનાથ ખાતે આવેલા પૂરનો નહીં પરંતુ વર્ષ 2013 માં ભારે વરસાદને લીધે પૂર આવતાં ઉત્તરાખંડના હેમકુંડ સાહિબ ગોવિંદ ઘાટ ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 7 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, , તાજેતરમાં કેદારનાથ ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 10 જુલાઈ, 2013 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હેમકુંડ સાહિબ ગોવિંદ ઘાટ ખાતે 15 જૂન, 2013 ના રોજ આવેલું પૂર.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને યુટ્યુબ પર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Video 1 | Youtube Video 2 | Youtube Video 3

ઉત્તરાખંડ ખાતે વર્ષ 2013 માં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના વધુ એક સમાચાર અમને ઈન્ડિયા ટીવી દ્વારા પણ 28 જુલાઈ, 2013 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં કેદારનાથ ખાતે આવેલા પૂરનો નહીં પરંતુ વર્ષ 2013 માં ભારે વરસાદને લીધે પૂર આવતાં ઉત્તરાખંડના હેમકુંડ સાહિબ ગોવિંદ ઘાટ ખાતે સર્જાયેલી પરિસ્થિતિનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો કેદારનાથ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False