જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મહાન કથાકારો અને તપસ્વી ઓ એ તપતી ધરતીને શાતં કરવા ઉપાડેલો છેલ્લો ઉપાય.  આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો પરમાર્થ નિકેતનની સત્તાવાર વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. આ પરમાર્થ નિકેતન આશ્રમ ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આવેલો છે. જેનું નેતૃત્વ તેના અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિદાનંદ સરસ્વતી સંભાળે છે.

વધુમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો અહેવાલ rajusudhakar.wordpress.com દ્વારા 5 મે, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

Archive

આજ ફોટો અમને અન્ય કેટલીક વેબસાઈટ પર પણ જુદા-જુદા સમયે આર્ટિકલમાં મૂકવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જે તમે અહીં જોઈ શકો છો. dailyo.in | loksambad.com | pinterest.com

આજ ફોટો સાથેની ટ્વિટ એક ટ્વિટર યુઝર દ્વારા વર્ષ 2019 માં કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context