રાજકોટના બીજેપીના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હાલમાં આ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલમાં ABP અસ્મિતાની બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કથિત નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યુ કે કોની પાસેથી મત લેવાં એ એમને શીખવાડવું નહીં, ક્ષત્રિયો કે કોળીનાં મતની જરૂર નથી અમારે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યુ કે કોની પાસેથી મત લેવાં એ એમને શીખવાડવું નહીં, ક્ષત્રિયો કે કોળીનાં મતની જરૂર નથી અમારે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કર્યુ હતુ કે, આ પ્રકારે કોઈ નિવેદન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યુ છે કે નહિં.? પરંતુ આ પ્રકારે કોઈ નિવેદન વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યુ હોવાનું અમને પ્રાપ્ત થયુ ન હતુ.

ત્યારબાદ અમે અમારી પડતાલને મજબૂત કરવા અમે વિજય રૂપાણીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હિતક્ષત્રુઓ દ્વારા આ પ્રકારે મારા નામે ખોટી અફવાઓ ફેલાવાઈ રહી છે. કોઈ પણ રાજકારણી દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવતુ નથી. મે ક્યારેય આ પ્રકારે નિવેદન આપ્યુ નથી.

તેમજ અમે ત્યાર બાદ અમે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “ પહેલા પણ અમારી ન્યુઝચેનલની ન્યુઝ પ્લેટ ખોટી રીતે વાયરલ થઈ હતી. અગાઉ અમે અંગે ખુલાસો કરી ચુક્યા છીએ કે, એબીપી અસ્મિતા દ્વારા પ્રકારે કોઈ સમાચાર પ્રસારિત કરવામાં નથી આવ્યા ન્યુઝ પ્લેટ મેન્યુપ્લેટ છે.

આ અગાઉ પણ એબીપી અસ્મિતાના ન્યુઝ પ્લેટનો ઉપયોગ કરી ભાજપાના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી અમીત શાહના ખોટા નિવેદનો વાયરલ કરવામાં આવી રહ્યા હતા. જેની પડતાલ ફેકક્રેન્ડો દ્વારા કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી એબીપી અસ્મિતાની ન્યુઝ પ્લેટ ખોટી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન કરવામાં નથી આવ્યુ. આ પહેલા પણ એબીપીની ન્યુઝ પ્લેટ એડિટીંગ કરી વાયરલ કરવામાં આવી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ABP અસ્મિતાની એડિંટીગ બ્રેકિંગ પ્લેટ ફરી ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False