
Dinesh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “गाधीजी बाबा साहेब के पेर पडे थे ये फोटो कीसीके पास नही plzzz फेलावो” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહાત્મા ગાંધી બાબા સાહેબ આંબેડકરની પગે લાગ્યા તેનો ફોટો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલને આગળ વધારી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અલામી.કોમ દ્વારા બાબા સાહેબની આ ઓરિજનલ ફોટો શેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ડો.બાબા સાહેબ આંબેડકર તેમની પત્ની ડો. સવિતા આંબેડકર તેમજ સેવક સુદામા અને તેમના પાળીતા કુતરા સાથે જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ મહાત્મા ગાંધીનો દાંડી કૂચનો ફોટો લઈ બાબા સાહેબના ફોટો સાથે જોડી એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલ 1930નો મહાત્મા ગાંધીના ફોટોને આ ફોટા સાથે એડિટ કરી વાયરલ કરવામાં આવી રહ્યો છે. મહાત્મા ગાંધીનો ઓરિજલ ફોટો તમે નીચે જોઈ શકો છો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ઓરિજનલ ઈમેજ અને એડિટ ઈમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટ છે અને તેની સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટ કરેલો છે. મહાત્મા ગાંધી બાબા સાહેબને પગે લાગ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. બાબા સાહેબના ફોટોમાં ગાંધીજીના ફોટોને મુકી એડિટ કરવામાં આવ્યો હતો.

Title:શું ખરેખર મહાત્મા ગાંધી બાબા સાહેબ આંબેડકરને પગે લાગ્યા હતા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
