
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરની જમીન પર વકફ બોર્ડે દાવો કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વીડિયોમાં કરવામાં આવેલા દાવાનું ખંડન શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના કોષાધ્યક્ષ પવન ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું હતું કે, શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની જમીન પર કોઈએ પણ દાવો કર્યો નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 19 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરની જમીન પર વકફ બોર્ડે દાવો કર્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં આપવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં panchjanya.com દ્વારા 19 નવેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મંદિરના કોષાધ્યક્ષ પવન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મંદિર પર કોઈએ પણ દાવો કર્યો નથી.
અમારી વધુ તપાસમાં અમને એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા પણ 18 નવેમ્બર, 2024 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના કોષાક્ષ્યક્ષ પવન ત્રિપાઠી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલો દાવો ખોટા હોવાનું જણાવવામાં આવ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વીડિયોમાં કરવામાં આવેલા દાવાનું ખંડન શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના કોષાધ્યક્ષ પવન ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું હતું કે, શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની જમીન પર કોઈએ પણ દાવો કર્યો નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો મુંબઈના શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરની જમીન પર વકફ બોર્ડે દાવો કર્યો હોવાના વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
