પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અધૂરો છે. સંપૂર્ણ વીડિયોમાં કેજરીવાલ તેમની ભૂલ સુધારી લે છે. આ અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સ્ટેજ પરથી દર્શકોને સંબોધતા જોવા મળે છે. ભાષણ દરમિયાન “કેજરીવાલ મહાભારતના એક પ્રસંગનો ઉલ્લેખ કરીને ખોટું બોલે છે.” એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેજરીવાલને ખ્યાલ પણ નહોતો કે તેઓ શું બોલી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Statussanatan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેજરીવાલ મહાભારતના એક પ્રસંગનો ઉલ્લેખ કરીને ખોટું બોલી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયો ક્લિપ 18 સેકન્ડની છે, જેમાં કેજરીવાલને એમ કહેતા સાંભળી શકાય છે કે, “…… જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે શ્રી કૃષ્ણજી ઊંઘતા હતા. દુર્યોધન અને શ્રી કૃષ્ણ બંને તેની મદદ લેવા પહોંચ્યા… દુર્યોધન તેના માથા પાસે બેઠો અને શ્રી કૃષ્ણ તેના પગ પાસે…….”
તે સ્પષ્ટ છે કે વાયરલ વીડિયો એક ઓરિજનલ વીડિયોનો એક ભાગ છે, જેનો એક ભાગ સંદર્ભની બહાર રજૂ કરવામાં આવી રહ્યો છે. કીવર્ડ સર્ચમાં આમ આદમી પાર્ટીની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો એક વિડિયો મળ્યો, જેમાં જોવામાં આવેલ બેકગ્રાઉન્ડ અને ઓડિટોરિયમ વાયરલ વિડીયોમાં જે જોવા મળે છે તેવો જ છે.
તેમજ આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર આ વીડિયો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલના ભાષણનો છે, જ્યાં તેમણે એક ઓડિટોરિયમમાં લોકો સાથે વાતચીત કરી હતી.
આ વીડિયોમાં 1.40 મિનિટ બાદફ્રેમમાં કેજરીવાલ મહાભારતના સંદર્ભનો ઉલ્લેખ કરતા અને તેને સાંભળતા સાંભળી શકાય છે અને તે સાંભળીને વાયરલ વીડિયો ક્લિપનો સમગ્ર સંદર્ભ સ્પષ્ટ થઈ જાય છે.
કેજરીવાલે કહ્યું, “જેમ તમે મહાભારતની વાર્તા સાંભળી હશે. જ્યારે મહાભારત યુદ્ધ શરૂ થયું ત્યારે શ્રી કૃષ્ણ સૂતા હતા. દુર્યોધન અને શ્રી કૃષ્ણ બંને તેની મદદ લેવા પહોંચ્યા. દુર્યોધન તેના માથા પાસે બેઠો અને શ્રી કૃષ્ણ તેના પગ પાસે….અર્જુન તેના પગ પાસે બેઠો, શ્રી કૃષ્ણ જી કે. જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે પ્રથમ અર્જુનને જોયો.”
સ્પષ્ટ છે કે સંબોધન દરમિયાન કેજરીવાલની જીભ લપસી ગઈ હતી અને બીજી જ ક્ષણે તેમણે પોતાની ભૂલ સુધારી લીધી હતી. જો કે, વાયરલ વિડિયોમાં આ ભાગ જાણી જોઈને કાઢી નાખવામાં આવ્યો હતો અને એક નાનો ભાગ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.
આ સૂંપર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અધૂરો છે. સંપૂર્ણ વીડિયોમાં કેજરીવાલ તેમની ભૂલ સુધારી લે છે. આ અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કેજરીવાલના અધૂરા વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
