શું ખરેખર પાકિસ્તાન તરફી અને વડાપ્રધાનને અપશબ્દ કહેવા બદલ પોલીસ દ્વારા સંઘર્ષ કાઢવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

ભોપાલ પોલીસે ઝુબૈર મૌલાનાનું સરઘસ એટલા માટે નહીં કે તેણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, પરંતુ તેના ગંભીર ગુનાઓને કારણે કાઢ્યું હતું. ભ્રામક દાવા સાથે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભોપાલમાં મુસ્લિમ યુવાનોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા અને પ્રધાનમંત્રીને અપશબ્દ કહ્યા હતા જેનું પોલીસે આખા શહેરમાં સરઘસ કાઢ્યું હતું.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભોપાલમાં મુસ્લિમ યુવાનોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા અને પ્રધાનમંત્રીને અપશબ્દ કહ્યા હતા જેનું પોલીસે આખા શહેરમાં સરઘસ કાઢ્યું હતું.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને દરમિયાન, અમને NDTV મધ્યપ્રદેશ/છત્તીસગઢનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વીડિયોનો સ્ક્રીનશોટ મળ્યો. વાયરલ વીડિયો સંબંધિત માહિતી આપતા કહેવામાં આવ્યું હતું કે, “આખરે ભોપાલ પોલીસે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના કુખ્યાત ગુનેગાર ઝુબૈર મૌલાનાને પાઠ ભણાવ્યો છે. 50 ગંભીર કેસોમાં ફરાર ઝુબૈર મૌલાનાની 6 મહિના પછી ધરપકડ કરવામાં આવી છે. શહેરના પોલીસ સ્ટેશન ટીલા જમાલપુરા, મંગલવાડા, ગૌતમ નગર, હનુમાનગંજ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી છે અને 30 હજારના ઈનામ સાથે ગુનેગારને તેના 3 સાથીઓ સાથે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે ગુનેગારનું સરઘસ કાઢ્યું હતું. શહેરના તિલાજમલપુરા, મંગલવાડા અને કાઝી કેમ્પ વિસ્તારોમાં ગુનેગારોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.”

ARCHIVE

તેમજ વધુ સર્ચ કરતા અમને પત્રિકાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુનેગારે તેના સાથીઓ સાથે શહેરના બે વિસ્તારોમાં ફાયરિંગ કરીને લોકોમાં આતંક ફેલાવ્યો હતો. ગુનેગાર ઝુબૈર મૌલાના છેલ્લા 6 મહિનાથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર હતો. તે પોતાનો દેખાવ બદલીને ફરાર હતો.”

ARCHIVE

તેમજ ભાસ્કર.કોમ દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભોપાલ પોલીસે ઝુબૈર મૌલાનાનું સરઘસ એટલા માટે નહીં કે તેણે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, પરંતુ તેના ગંભીર ગુનાઓને કારણે કાઢ્યું હતું. ભ્રામક દાવા સાથે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાન તરફી અને વડાપ્રધાનને અપશબ્દ કહેવા બદલ પોલીસ દ્વારા સંઘર્ષ કાઢવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *