
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભારતીય મહિલા સૈનિકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન શહીદ થયેલી આ પ્રથમ ભારતીય મહિલા કિરણ શેખાવત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતીય મહિલા સૈનિકનો જે ફોટો અને માહિતી આપવામાં આ છે એ વર્ષ 2015ની છે. કિરણ શેખાવતનું મોત ગોવા ખાતે તેમનું ડ્રોનિયર એરક્રાફ્ટ ક્રેશ થવાને કારણે થયું હતું. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 10 મે, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,
દેશ ની પ્રથમ મહિલા કિરણ શેખાવત ફરજ પર શહીદ માત્ર 27 વર્ષ ની ઉંમર માઁ વિરગતી વિહોરી ધન્યો હિન્દુસ્તાની શક્તિ. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન શહીદ થયેલી આ પ્રથમ ભારતીય મહિલા કિરણ શેખાવત છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો એક ફેસબુક યુઝર દ્વારા 9 જૂન, 2020ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કિરણ શેખાવત ફરજ દરમિયાન શહીદ થનાર પ્રથમ નૌકાદળ મહિલા અધિકારી હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાંનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેના સમાચાર hindi.oneindia.com દ્વારા 27 માર્ચ, 2019ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, 24 માર્ચ, 2015ના રોજ ગોવામાં એક વિમાન દુર્ઘટનામાં કિરણ શેખાવત નામની મહિલા અધિકારી શહીદ થઈ હતી. જે ઓન ડ્યુટી શહીદ થનારી પ્રથમ ભારતીય મહિલા સૈનિક હતી.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને વર્ષ 2015માં પ્રસારિત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. timesofindia.indiatimes.com | ndtv.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતીય મહિલા સૈનિકનો જે ફોટો અને માહિતી આપવામાં આ છે એ વર્ષ 2015ની છે. કિરણ શેખાવતનું મોત ગોવા ખાતે તેમનું ડ્રોનિયર એરક્રાફ્ટ ક્રેશ થવાને કારણે થયું હતું. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલી મહિલા સૈનિક કિરણ શેખાવતના નામે વાયરલ થઈ રહેલા ફોટો સાથેના મેસેજનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
