શું ખરેખર ત્રણ મહિના માટે સરકાર દ્વારા ફ્રી રિચાર્જની ઓફર આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સોશિયલ મીડિયા થકી ઠગો દ્વારા લોકોને છેતરવાના ઘણા કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. ત્યારે તહેવાર સમયે સોશિયલ મીડિયામાં લોકોને છેતરવા માટે ફ્રી રિચાર્જના નામે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા હોય છે. હાલમાં એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા 3 મહિના માટે એરટેલ, જીઓ અને વીઆઈના યુઝર્સ માટે ફ્રી રિચાર્જની સ્કિમ આપવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા 3 મહિના માટે એરટેલ, જીઓ અને વીઆઈના યુઝર્સ માટે ફ્રી રિચાર્જની સ્કિમ આપવામાં આવી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને આ પ્રકારે કોઈ ફ્રી રિચાર્જની સ્કિમ આપવામાં આવી હોય તેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયો અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વીડિયો ઓરિજનલ ક્લિપનો એક ભાગ છે. 

ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ પેજ પર વીડિયો શેર કરતા માહિતી આપવામાં આવી હતી કે, “હવે ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો માટે મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે, પછી ભલે તે ગરીબ હોય, અમીર હોય કે મધ્યમ વર્ગના હોય. આ કાર્ડ ઓનલાઈન પણ બનાવવામાં આવશે, આ માટે કોઈને કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.

તેમજ વધુ સર્ચ કરતા અમને PIB ના ટ્વિટર એકાઉન્ટ પર 8 જૂન 2024 ના રોજ આ જ વિષય પર એક પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં, આ પ્રકારના કૌભાંડો અને નકલી રિચાર્જથી સાવધ રહેવા વિશે માહિતી શેર કરવામાં આવી હતી. 

તેમજ વર્ષ 2022માં ગુજરાતી ફેક્ટક્રેસન્ડો અને 2024માં ફેક્ટ ક્રેસન્ડોની હિન્દી ટીમ દ્વારા પણ આ જ વિષય પર ફેક્ટ ચેક કરવામાં આવ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી મુજબ કોઈ પણ ફ્રી રિચાર્જની ઓફર સરકાર દ્વારા આપવામાં આવી નથી, આ એક પ્રકારનો સ્કેમ છે. લોકોને આ પ્રકારના સ્કેમથી દૂર રહેવા સુચના આપવામાં આવી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ત્રણ મહિના માટે સરકાર દ્વારા ફ્રી રિચાર્જની ઓફર આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False