શું ખરેખર પહેલગામ હુમલા બાદ જામનગરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેસ થયુ…? જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમા પહેલગામ હુમલા બાદનો નહીં પરંતુ ગત મહિનાની શરૂઆતમાં થયેલા પ્લેન ક્રેસનો વીડિયો છે. હાલમાં કોઈ ભારતીય ફાઈટર પ્લેન ક્રેસ થયુ નથી.

7 મે 2025ના ભારતીય સૈનિકો દ્વારા પાકિસ્તાનમાં 9 સ્થળોએ એર સ્ટ્રાઈક કરી અને પહેલગામ હુમલાનો બદલો લીધો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાયલોટ જમીન પર પડી ગયેલા જોવા મળે છે અને લોકો તેમની ઘેરી અને ઉભા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન જામનગર નજીક ક્રેસ થયુ.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન જામનગર નજીક ક્રેસ થયુ.”

https://archive.org/details/fb-video_20250508

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને રિપબ્લિક વર્લ્ડની યુટ્યુબ ચેનલ પર આ જ ઘટનાનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 2 એપ્રિલ 2025ના અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેસ થયા બાદનો આ વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વધુ સર્ચ કરતા અમને ધ પ્રિન્ટ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત વીડિયો પ્રાપ્ત થયો હતો. જે આ પ્લેન ક્રેસની ઘટના બાદની આગ બુજાવવાની કાર્યવાહીનો વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને એબીપી અસ્મિતાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જામનગર નજીક ફાઈટર પ્લેન ક્રેસ થતા એક પાયલોટનું મોત થયુ હતુ અને તેમજ બીજા ઘાયલ પાયલોટને જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.” 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમા પહેલગામ હુમલા બાદનો નહીં પરંતુ ગત મહિનાની શરૂઆતમાં થયેલા પ્લેન ક્રેસનો વીડિયો છે. હાલમાં કોઈ ભારતીય ફાઈટર પ્લેન ક્રેસ થયુ નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પહેલગામ હુમલા બાદ જામનગરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેસ થયુ…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *