
તાજેતરમાં, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, ભારત સરકારે આપણી નબળી વાયુસેનાના કારણે અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “CDS અનિલ ચૌહાણે કહ્યુ હતુ કે, ભારત સરકારે આપણી નબળી વાયુસેનાના કારણે અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમે વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને અને રિવર્સ ઈમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી.
આનાથી અમને 29 નવેમ્બર, 2025 ના રોજ ANIના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ મળી, જેમાં વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો હતો. જોકે, ઓડિયો મેળ ખાતો ન હતો. અહીં, સીડીએસ અનિલ ચૌહાણને કહેતા સાંભળી શકાય છે કે, “યુદ્ધભૂમિમાં, અસમર્થતાની કિંમત જીવન સાથે ચૂકવવી પડે છે. તેથી વ્યાવસાયિક શ્રેષ્ઠતા તરફ પ્રયત્નશીલ રહો. તે તમારા માટે પસંદગી નથી. તે એક ફરજ છે. વ્યાવસાયિક શ્રેષ્ઠતા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા સંપૂર્ણ રહેવા દો જેથી શાંતિમાં તમે તૈયાર રહો અને યુદ્ધમાં તમે જીતો… જ્યારે હું સેવામાં જોડાયો, ત્યારે લશ્કરી વ્યૂહરચના મોટાભાગે ભૌગોલિક વિચારણાઓ દ્વારા સંચાલિત હતી. આજે, ટેકનોલોજીએ ભૂગોળ પર કૂચ ચોરી લીધી છે, જેના કારણે તે ઓછી સુસંગત બની ગઈ છે. ટેકનોલોજી મોટાભાગની લશ્કરી વ્યૂહરચના, ઓપરેશનલ આર્ટ અને નાનામાં નાની યુક્તિઓને પણ ચલાવે છે. હું ઈચ્છું છું કે તમે તમારી કારકિર્દી દરમિયાન તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ઉપરાંત, યુદ્ધ બહુ-ક્ષેત્ર બની ગયું છે. કોઈ એક સેવા એકલા યુદ્ધ જીતી શકતી નથી. ભવિષ્યના બધા યુદ્ધો એકીકૃત રીતે લડવામાં આવશે. સંયુક્તતા એ મંત્ર છે જે આપણને બધાને સફળ બનાવશે. અમે તે મુજબ ત્રણેય સેવાઓ વચ્ચે સંયુક્તતા અને એકીકરણને પ્રોત્સાહન આપી રહ્યા છીએ… ભૂતકાળમાં અનેક પ્રસંગોએ, મેં કહ્યું છે કે ભારત એક ખંડીય અને દરિયાઈ શક્તિ બંને છે. પરંતુ ભારતનું અંતિમ ભાગ્ય મહાસાગરોમાં પ્રગટ થવાની સંભાવના છે. અને આમાં, ભારતીય નૌકાદળ આ ભાગ્યને સુરક્ષિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ, “હું માનું છું કે, પૂર્વનિર્ધારિત છે. બીજી એક વાત જે મને લાગે છે કે પૂર્વનિર્ધારિત છે, તે એ છે કે ભારતીય નૌકાદળ ભવિષ્યમાં આપણા રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત રાખવા માટે લશ્કરી શક્તિના કોઈપણ ઉપયોગમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.”
સીડીએસ અનિલ ચૌહાણે પોતાના ભાષણમાં ક્યાંય એવો ઉલ્લેખ કર્યો નથી કે ભારત સરકારે અરૂણાચલ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે.
વાયરલ વીડિયો અને મૂળ વીડિયો વચ્ચેની સરખામણી નીચે જોઈ શકાય છે.
વધુમાં, PIB ફેક્ટ ચેકે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 29 નવેમ્બર 2025ના રોજ ટ્વિટ કરીને દાવાનું ખંડન કર્યું હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો એડિટેડ છે. સીડીએસ અનિલ ચૌહાણે એવું કહ્યું નથી કે ભારત સરકારે આપણી નબળી વાયુસેનાના કારણે અરૂણાચલ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. આ વીડિયોમાં એઆઈનો ઉપયોગ કરીને હેરફેર કરવામાં આવ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:સીડીએસ અનિલ ચૌહાણે એવું નથી કહ્યું કે ભારત સરકારે અરૂણાચલ અને લદ્દાખને ચીનને સોંપી દીધા છે. વાયરલ વીડિયો એડિટેડ છે.
Fact Check By: Frany KariaResult: Altered


