શું ખરેખર IPS અજયપાલે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 3 ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Pravin Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, रामपुर के SP अजयपाल शर्मा जी ने 6 वर्ष की बच्ची के बलात्कारी नाज़िल को 3 गोलियां मार कर 72 हूरों के पास पहुँचा दिया…. #up_police #ajaypalsharma.. SP अजयपाल शर्मा जी को हम सब की तरफ से सहृदय धन्यवाद व सम्मान ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1900 લોકોએ લાઈક કરી હતી. 230 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 65 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. 

screenshot-www.facebook.com-2019.06.24-20-38-59.png

Facebook PostArchive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રામપુરના આઈપીએસ એજયપાલ શર્મા દ્વારા 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 3 ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો એવી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ અજયપાલ શર્મા સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.com-2019.06.24-20-56-59.png

Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું હતું કે, ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લામાં ગત મે મહિનાની 6 તારીખે છ વર્ષની અકે બાળકી અચાનક ગાયબ થઇ ગઈ હતી. 6 મે નારોજ ગાયબ થયેલી બાળકીનો 8 મેના દિવસે મૃતદેહ મળ્યો. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખુલાસો થયો કે બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવામાં આવી છે. બાદમાં પોતાની દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નાજીલ હોવાની જાણ થતાં ગત 22 જૂનના રોજ પોલીસે નાજીલ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો અને ત્યાર બાદ પોલીસ જ્યારે તેની ધરપકડ કરવા આવી ત્યારે જ અ ઘટના બની. યુપી પોલીસ જયારે નાજીલની ધરપકડ કરવા ગઈ ત્યારે નાજીમે પોલીસ સામે પાવર બતાવ્યો હતો. આ ધરપકડ વખતે આરોપી નાજીલ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં રામપુરના એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ તરીકે જાણીતા આઈપીએસ અજયપાલ શર્માએ નાજીલના પગમાં એક પછી એક ત્રણ ગોળીઓ મારીને એને જમીન પર ઢાળી દીધો હતો. બાદમાં યુપી પોલીસે તેની ધરપકડ કરી હતી અને ઘાયલ નાજીલને પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. નસીબજોગે બળાત્કારી નાજીલ બચી ગયો હતો અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર નીચે છે.

અમારી વધુ તપાસમાં અમે ગુગલમાં अजयपाल शर्माने बलात्कारी को मारी गोली સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.24-21-08-38.png

Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને ઘણા બધા મીડિયા દ્વારા આ સમાચારને પ્રકાશિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ તમામ સમાચારોને ધ્યાનથી વાંચતા અમને એ માલૂમ પડ્યું હતું કે, પોલીસ જ્યારે આરોપી નાજીલની ધરપકડ કરવા ગઈ હતી ત્યારે પોલીસ અને નાજીલ વચ્ચે અથડામણ થઈ હતી અને આ અથડામણમાં નાજીલને બંને પગે ગાળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજ રોજ એટલે કે 24 જૂન, 2019 સુધી નાજિલ જીવતો છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ તમામ માહિતી તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

PatrakarkakaScoopwhoop HindiPatrikaDaily Hunt
ArchiveArchiveArchiveArchive

વધુમાં અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને अजयपाल शर्माने नाजिल को मारी गोली સર્ચ કરતાં અને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.24-21-44-11.png

Achive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ક્યાંય પણ નાજિલનું મોત થયું હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. આ પરિણામોમાં અમને બે ન્યૂઝ ચેનલના વીડિયો પ્રાપ્ત થયા હતા તેમાં તમે નાજિલને ગોળી વાગેલી હાલતમાં હોસ્પિટલમાં જોઈ શકો છો.

Archive

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને રામપુર પોલીસ દ્વારા 22 જૂન, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. આ ટ્વિટમાં આઈપીએસ અજયપાલ શર્મા બનેલી ઘટના અંગે બાઈટ આપે છે અને કહે છે કે, પોલીસ અને નાજીલ વચ્ચે થયેલી અથડામણમાં આરોપી નાજીલને બંને પગમાં ગોળી વાગી છે અને હાલમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, દુષ્કર્મના આરોપી નાજીલને પોલીસ અથડામણમાં બંને પગે ગોળી વાગતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેનું આજ રોજ 24 જૂન, 2019 સુધી મોત નથી થયું તે હજુ સારવાર હેઠળ છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી નાજીલ જીવિત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર IPS અજયપાલે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 3 ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False