
निमिषा जे अग्रवाल નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 473 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 133 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીમાં બનેલી ઘટનાનો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પત્રકાર રાણા અય્યુબ દ્વારા કરવામાં આવેલું ટ્વિટ પ્રાપ્ત થયુ, જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “આ વિડિયોની દિલ્હીનો હોવાની પૃષ્ટી થયા બાદ તેઓ તેને પોસ્ટ કરી રહ્યા છે.” જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ ઘટનાને અન્ય એંગલથી શૂટ કર્યા બાદ એક યુટ્યુબ યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત, ધ વાયર મીડિયા દ્વારા પણ મસ્જિદને આગ લાગ્યા બાદ લેવામાં વિડિયો શેર કર્યો હતો.
તેમજ જૂદા-જૂદા મિડિયા દ્વારા આ વિડિયો અંગેના અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના દિલ્હીના અશોકનગરમાં બનવા પામી હતી. બીબીસી દ્વારા પ્રસારિત અહેવાલ તમે નીચે જોઈ શકો છો.
નવજીવન ઈન્ડિયા દ્વારા પણ આ અંગેનો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીના અશોકનગર વિસ્તારનો છે. ગુજરાતના ખંભાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:દિલ્હીમાં બનેલી ઘટનાને ખંભાતના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
