કર્ણાટક ચાલી રહેલા હિજાબના વિવાદને લઈ સમગ્ર રાજ્યમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં 2 વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા બીજેપી અને આરઆરએસના કાર્યકર્તાઓને લોકોએ માર માર્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કર્ણાટકાનો નહિં પરંતુ તેલગંણાનો છે. તેમજ આ ઘટનાને હિજાબ સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ક્નેક્શન જોડવામાં આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Irfan Dasadia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા બીજેપી અને આરઆરએસના કાર્યકર્તાઓને લોકોએ માર માર્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોતા અમને એક ટ્રાફિક સિગ્નલ પરનું બોર્ડ જોવા મળ્યુ હતુ. જેમાં લખ્યુ હતુ કે, “JANGAON TRAFFIC POLICE” જે તમે નીચે જોઈ શકો છો.

જે ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને TV9 તેલુગૂનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જનગાંવમાં ભાજપ અને સત્તાધારી તેલુગુ રાષ્ટ્ર સમિતિના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું.

NTV તેલુગૂ નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ ઘટના અંગેનો વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ માહિતી આપવામાં આવી હતી કે, “જનગાંવમાં ટીઆરએસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

તેમજ વધુ સર્ચ કરતા અમને ધ હિંદુ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ મુજબ, “TRS કાર્યકર્તાઓ રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણને લઈને જનગાંવમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે 2014માં આંધ્રપ્રદેશનું વિભાજન યોગ્ય રીતે થયુ ન હતું.

વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, જેમાં ભાજપના છ કાર્યકરો ઘાયલ થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કર્ણાટકાનો નહિં પરંતુ તેલગંણાનો છે. તેમજ આ ઘટનાને હિજાબ સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ક્નેક્શન જોડવામાં આવી રહ્યુ છે.

Avatar

Title:શું ખરેખર બીજેપી કાર્યકર્તાઓ સાથેની મારપીટનો આ વિડિયો કર્ણાટકનો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False