ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. પોસ્ટ સાથેના તમામ નંબર બંધ છે, ખોટા દાવા સાથે તેને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા છે.

વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન કહેવાય છે. જેને લઈ તમામ લોકો દ્વારા કોઈ ને કોઈ મદદ કરવામાં આવતી જ હોય છે. આ જ પ્રકારે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં ભણતરની મદદ માટેની માહિતી આપવામાં આવી હતી. જેમાં 25 નંબર આપવામાં આવ્યા છે અને જો કોઈને મદદની જરૂર હોય તો તે નંબર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યુ હતુ. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોઈપણ વ્યક્તિને મદદની જરૂર હોય તો તે નીચેના કોઈપણ નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mohanlal Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોઈપણ વ્યક્તિને મદદની જરૂર હોય તો તે નીચેના કોઈપણ નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે.”

આ મેસેજને સત્ય માની અને ફેસબુક પર તેમજ યુટ્યુબ પર જૂદા-જૂદા યુઝર દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ મેસેજ વર્ષ 2019થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે તમામ નંબરો પર ફોન કરવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ તામમ નંબર બંધ આવી રહ્યા હતા. કોઈપણ નંબર પર સંપર્ક કરવો શક્ય થતો જ ન હતો.
તેમજ આ મેસેજમાં ના તો કોઈ સંસ્થાનું કે ન તો કોઈ શહેરનું નામ લખવામાં આવ્યુ હતુ. જે શંકા ઉપજાવે તેવુ હતુ.
તેમજ મોટાભાગના નંબર ગુજરાત બહારના છે. અને તમામ નંબર ફર્જી છે.
ત્યારબાદ આ નંબર પૈકીના એક નંબર પર અમે સંપર્ક સાધ્યો હતો. રામજીભાઈ કોરાટ નામના વ્યક્તિએ અમને જણાવ્યુ હતુ કે, “આ મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારે કોઈ મદદ કરવામાં આવતી નથી. આ તમામ નંબર ફર્જી છે. આ પ્રકારે કોઈ ગ્રુપ કાર્યરત નથી, વર્ષ 2017થી આ મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજનો કોઈ આધાર પુરાવો નથી, આ મેસેજને લઈ અમે ખૂબ પરેશાની ઉઠાવી રહ્યા છીએ. આ અંગે અમે જે-તે સમયે પોલીસમાં અરજી પણ આપેલી હતી. તેમજ આ મેસેજ ને સત્ય માની અને રોજના લગભગ 100 લોકો દ્વારા ફોન કરવામાં આવે છે. પરંતુ અમે વર્ષોથી આ નંબર ઉપયોગમાં લેતા હોવાથી આ નંબરને બદલી પણ શકતા નથી. તમારા માધ્યમથી અમે લોકોને કહેવા માંગી છીએ કે આ પ્રકારે કોઈ મદદ કરવામાં આવતી નથી. આ મેસેજ તદ્દન ખોટ અને ભ્રામક છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ શિક્ષણ માટે મદદ પુરી પાડવામાં નથી આવી રહી, આ મેસેજને સત્ય માંની ફોર્વડ ન કરવો જોઈએ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ભણતરની મદદ માટેનો આ મેસેજ ફર્જી છે અને ઘણા વર્ષોથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
