
Jagruti Patel નામની ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 🥬કોબી🥬 શક્ય હોય તો ખાશો નહીં ઓકે તમે સાંભળ્યું ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ કોબીમાં સૌથી વધુ સમય રહે છે. જ્યાં પણ આ વાયરસ બાકીની જગ્યામાં 9-12 કલાક રહે છે, ત્યાં કોબીમાં આ વાયરસ 30 કલાકથી વધુ સમય માટે રહે છે. શહેરના તમામ લોકોને કોબીથી અંતર રાખવા વિનંતી છે. જાહેર હિતમાં રાજસ્થાન સરકાર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ બાકીની જગ્યાએ 9 થી 12 કલાક સુધી રહે છે જ્યારે કોબીજમાં આ વાયરસ 30 કલાકથી વધુ સમય સુધી રહે છે. જેનાથી તમામ લોકોએ કોબીજ ખાવાનું બંધ કરવું જોઈએ. આ પોસ્ટને 16 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર WHO દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર કોબીજમાં કોરોના વાયરસ 30 કલાક સુધી રહે છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને WHO ની ઓફિશિયલ વેબસાઈટ પર સર્ચ કરતાં અમને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોબીજ અંગે આ પ્રકારનો કોઈ પણ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હોવાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, WHO દ્વારા આ પ્રકારની કોઈ જ માહિતી આપવામાં નથી આવી. કોરોના વાયરસ સંબંધિ ભ્રામક જાણકારીથી બચો. પોતાની જાતને અને પરિવારને કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે એકબીજા વચ્ચે અંતર જાળવો. આપણે સૌ સાથે મળીને કોરોના વાયરથી લડી શકીએ છીએ. જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ WHO દ્વારા કોરોના વાયરસને લઈ કોબીજ અંગે કોઈ પણ માહિતી બહાર પાડવામાં આવી નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ WHO દ્વારા કોરોના વાયરસને લઈ કોબીજ અંગે કોઈ પણ માહિતી બહાર પાડવામાં આવી નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:WHO દ્વારા કોબીજમાં કોરોના વાયરસ હોવા અંગે કોઈ જ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
