અયોધ્યા રામ મંદિરના નામે વાયરલ થઈ રહેલો આ વીડિયો વાસ્તવમાં દિલ્હી સ્થિત BAPS અક્ષરધામ મંદિરનો છે.

અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થયું હતું. દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ જ પૃષ્ટભૂમિ પર રોશનીથી ઝળહળતા મંદિરનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અયોધ્યા રામ મંદિરના સાંજના દ્રશ્ય છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અયોધ્યા રામ મંદિરના સાંજના દ્રશ્ય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને We Are Delhi.in નામની વેબસાઈટ પરની વેબ સ્ટોરીમાં અમને આ વીડિયો મળ્યો છે. અહીં તે દિલ્હીના અક્ષરધામ મંદિરનું હોવાનું જણાવ્યુ હતુ.

ત્યારબાદ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિલ્હીના અક્ષરધામ મંદિરની ઘણી તસવીરો અને વીડિયો મળ્યા, જે વાયરલ વીડિયો સાથે ખૂબ જ મળતા આવે છે.

19 જૂન 2023ના આ જ વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, દિલ્હી અક્ષરધામનો આ વીડિયો સાંજના સમયનો ડ્રોન શોટ છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ દિલ્હી અક્ષરધામના લાઈટિંગનો સંપૂર્ણ ડ્રોન વિઝ્યુલ તમે નીચે જોઈ શકો છો.

દિલ્હી અક્ષરધામ અને અયોધ્યા રામ મંદિર વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે બીએપીએસ સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો, ત્યાંથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દિલ્હી અક્ષરધામનો છે. રામ મંદિર અયોધ્યાનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દિલ્હી અક્ષરધામનો છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરનો હોવાની વાત તદ્દન ખોટી છે.


(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:દિલ્હી અક્ષરધામનો વીડિયો રામ મંદિરના નામે વાયરલ થઈ રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False