મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો આ વીડિયો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ વીડિયોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ભાજપા તેમને તો ફરી મુખ્યમંત્રી બનાવશે નહિં તેથી લોકો તેમની સમજ મુજબ તેમને ગમતી પાર્ટીને વોટ આપે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા લોકોને કોઈપણ પાર્ટીને મત આપવાની અપિલ કરવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 નવેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા લોકોને કોઈપણ પાર્ટીને મત આપવાની અપિલ કરવામાં આવી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને એએનઆઈની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં શિવરાજ સિંહ ચૌહાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વંદે ભારત ટ્રેન શરૂ કરવા બદલ આભાર માનતા જોઈ શકાય છે. આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ વાયરલ વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો આ વીડિયો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. ઓરિજનલ વીડિયોમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કોઈપણ પાર્ટીનો મત આપવાની અપિલ કરતો વીડિયો એડિટેડ છે... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Altered