પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળનો નથી પરંતુ 9 જુલાઈ 2023ના રોજ ગ્રેટર નોઈડામાં કાઢવામાં આવેલી કલશ યાત્રાનો છે.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે “આ વીડિયો નેપાળ થી અયોધ્યા રામમંદિર ઉત્સવમાં આવી રહેલા લોકોનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો નેપાળ થી અયોધ્યા રામમંદિર ઉત્સવમાં આવી રહેલા લોકોનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તારીખના 9 જૂલાઈ 2023ના અપલોડ કરવામાં આવ્યો હતો જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, ગ્રેટર નોયડામાં કળશ યાત્રા, ગ્રેટર નોયડામાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા.
તેમજ વધુ સર્ચ કરતા અમને ઈટીવી ભારત દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ જ માહિતી આપી હતી અને આ જ વીડિયોના દ્રશ્યો જોઈ શકાય છે.

આ અહેવાલ સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો ગ્રેટર નોઈડાનો છે. ગ્રેટર નોઈડામાં 10મી જુલાઈ 2023થી બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ભાગવત કથા. આના એક દિવસ પહેલા એટલે કે 9 જુલાઈના રોજ ગ્રેટર નોઈડાના સિટી પાર્કથી સેક્ટર આલ્ફા, સેક્ટર ડેલ્ટા અને ગ્રેટર નોઈડા ઓથોરિટી પાસે કથા સ્થળ જેતપુર ગામ નજીક કલશ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં ગ્રેટર નોઈડા અને દૂર દૂરની મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓએ માથે કલશ અને નાળિયેર સાથે યાત્રામાં ભાગ લીધો હતો. મહિલાઓ જય શ્રી રામના નારા લગાવતી શોભાયાત્રામાં આગળ વધતી રહી.
પરિણામ
આમ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળનો નથી પરંતુ 9 જુલાઈ 2023ના રોજ ગ્રેટર નોઈડામાં કાઢવામાં આવેલી કલશ યાત્રાનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:નેપાળથી માતા સીતા માટે ઉપહાર લઈને લોકો આવ્યા હોવાની વાત તદ્દન ભ્રામક છે… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
