વારાણસીની વર્ષ 2018ની ઘટનાને મુંબઈના થાણેના નામે વાયરલ કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો થાણેનો નહિં પરંતુ વારાણસીના વર્ષ 2018માં સર્જાયેલી દુર્ધટના દરમિયાનનો છે. હાલનો થાણેનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીલોર તુટીને મોટર કાર પર પડવાની આ દુર્ધટના મુંબઈના થાણેમાં બનવા પામી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

M K Dodiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીલોર તુટીને મોટર કાર પર પડવાની આ દુર્ધટના મુંબઈના થાણેમાં બનવા પામી છે.”

Facebook | Fb post Archive | Fb video archive 

Facebook | Fb article archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને VOA ન્યુઝ દ્વારા પ્રસારિત તારીખ 16 મે 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ફ્લાયઓવરનો ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને વધુ લોકો કાટમાળમાં ફસાયા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. એક વરિષ્ઠ પોલીસ અધિકારી, અમિત કુમારે જણાવ્યું કે, 20-મીટરની બીમ, જે ફ્લાયઓવરને લગાવવામાં આવી હતી, તે ધરાશાયી થઈ હતી, જેને વાહનો અને રાહદારીઓને કચડી નાખ્યા હતી. બીમ ઉપાડવા માટે સાત ક્રેન મોકલવામાં આવી હતી.

ARCHIVE

તેમજ ABP NEWS દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ ઈકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા પણ આ અંગેનો વિસ્તૃત અહેવાલ 16 મે 2018ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

THE ECONOMIC TIMES | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો થાણેનો નહિં પરંતુ વારાણસીના વર્ષ 2018માં સર્જાયેલી દુર્ધટના દરમિયાનનો છે. હાલનો થાણેનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વારાણસીની વર્ષ 2018ની ઘટનાને મુંબઈના થાણેના નામે વાયરલ કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False