પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના સ્ક્રિનશોટ હાલનો નહિં પરંતુ વર્ષ 8 ડિસેમ્બર 2017ના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભાભરમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી તે સમયનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે કાપડ નગરી સુરતમાં કરોડોના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ વચ્ચે સંદેશ ન્યુઝ ચેનલનો સ્ક્રિનશોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે. કે ‘સુરતમાં પૂર વખતે હું જાતે સફાઈ કરતો હતો : PM’ આ સ્ક્રિનશોટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદી દ્વારા હાલના ગુજરાતના પ્રવાસ દરમિયાન સુરતમાં આ વાત કહી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ મોદી દ્વારા હાલના ગુજરાતના પ્રવાસ દરમિયાન સુરતમાં આ વાત કહી હતી.”

Facebook | Fb post Archive | Facebook
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર આ જ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ સ્ક્રિનશોટ ફેસબુક પર વર્ષ 2018માં પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીનું આ ભાષણ હાલનું નથી. તેથી અમે ગૂગલ પર વધુ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 8 ડિસેમ્બર 2017ના વેબદુનિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેમા માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠાના ભાભર ગામમાં લોકોને પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, “હું મુખ્યમંત્રી હતો ત્યારે સુરતમાં પૂર આવ્યુ હતું અને મેં જાતે સુરતમાં મેં જાતે જઇને સફાઇ કરી હતી. મોરબીમાં હોનારત સર્જાઇ ત્યારે તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધી મોઢે માસ્ક રાખીને ફરતા હતા અને આરએસએસના કાર્યકરો સેવાનું કામ કરતા હતાં.”

તેમજ વધુ તપાસ કરતા અમને પીએમ નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ભાષણ તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયુ હતુ. જે 8 ડિસેમ્બર 2017ના પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નરેન્દ્ર મોદીના ભાષણના સ્ક્રિનશોટ હાલનો નહિં પરંતુ વર્ષ 8 ડિસેમ્બર 2017ના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠાના ભાભરમાં જાહેર જનતાને સંબોધિત કરી હતી તે સમયનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પીએમ નરેન્દ્ર મોદીના જૂના ભાષણના સ્ક્રિન શોટને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
