રોહિત શર્માને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રોહિત શર્માને હાલમાં જ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રોહિત શર્માને હાલમાં જ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને યુવા બાબતો અને રમત મંત્રાલયની વેબસાઈટ પર અમને અર્જુન પુરસ્કાર વિજેતાઓ વિશેની માહિતી પણ મળી. અહીં આપેલી માહિતી મુજબ, રોહિત શર્માને વર્ષ 2015માં અર્જુન એવોર્ડ મળ્યો હતો.
તેમજ રોહિત શર્માના વેરિફાઈડ એક્સ એકાઉન્ટ પર વાયરલ તસવીર પણ મળી. પોતાની ખુશી અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેણે આ તસવીર 16 સપ્ટેમ્બર 2016ના રોજ શેર કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રોહિત શર્માને હાલમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો નથી. રોહિત શર્માને 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: રોહિત શર્માને વર્ષ 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો…. જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: Missing Context
