પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન કરવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....
સોશિયલ મિડિયામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાતનો પુરો વિડિયો નથી શેર કરવામાં આવી રહ્યો પરંતુ એક જ ભાગ શેર કરવામાં આવી રહ્યો છે અને પીએમ મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન નથી કરવામાં આવ્યુ .
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ (25 જૂલાઈ 2022) છે. આ પહેલા શનિવારે (24 જૂલાઈ 2022) રાષ્ટ્રપતિ કોવિંદને સંસદમાં વિદાય આપવામાં આવી હતી. આ વિદાયની એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી બીજી તરફ જોઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ પૂરો થયો ત્યારે પીએમ મોદીએ તેમની અવગણના કરી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Azad Yuva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ પૂરો થયો ત્યારે પીએમ મોદીએ તેમની અવગણના કરી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને રામનાથ કોવિંદના વિદાય સમારોહનો વિડિયો દૂરદર્શનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો.
સંસદમાં રામનાથ કોંવિદ દ્વારા તેમના સંબોધન પછી લાઇનમાં ઉભા રહેલા તમામ સભ્યોને હાથ જોડીને અભિવાદન કર્યું. 36 મિનિટ 20 સેકન્ડના વિડિયોમાં જોઈ શકાય છે કે તેમણે હાથ જોડીને પીએમ મોદીનું અભિવાદન કર્યું. તે જ સમયે, તેના જવાબમાં પીએમ મોદી પણ સ્પષ્ટપણે રાષ્ટ્રપતિ કોવિંદની સામે હાથ જોડીને ઉભા જોવા મળ્યા હતા.
થોડીક સેકન્ડ બાદ વાયરલ વીડિયો ક્લિપ જોઈ શકાય છે. જેમાં પીએમ મોદી બીજી તરફ નજરે પડે છે.
તેમજ આ પહેલા શુક્રવારે (23 જૂલાઈ 2022) ના પીએમ મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદના સન્માનમાં રાત્રી ભોજનનું આયોજન કર્યું હતું. ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, કેન્દ્રીય મંત્રીઓ, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ભ્રામક સાબિત થાય છે. કારણ કે, સોશિયલ મિડિયામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાતનો પુરો વિડિયો નથી શેર કરવામાં આવી રહ્યો પરંતુ એક જ ભાગ શેર કરવામાં આવી રહ્યો છે અને પીએમ મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન નથી કરવામાં આવ્યુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામનાથ કોવિંદનું અપમાન કરવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False