વર્ષ 2017 માં સુકમા ખાતે શહીદ થયેલા સૈનિકોના ફોટો બિજાપુરના શહીદોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર છત્તીસગઢના બિજાપુર ખાતે થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં છત્તીસગઢના બિજાપુર ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફોટો વર્ષ 2017 માં છત્તીસગઢના સુકમા ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Makwana Mansukhbhai નામના ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, છત્તીસગઢ ના બિજાપુર વિસ્તારમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા તમામ વીર જવાનોને શત શત નમન . આપની શહીદી માટે દેશ સદાય ઋણી રહેશે. સૌ શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરુ છું. . જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં છત્તીસગઢના બિજાપુર ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે.

screenshot-www.facebook.com-2021.04.07-19_07_31.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને CRPF દ્વારા 27 એપ્રિલ, 2017 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટોમાં દેખાતા શહીદ થયેલા જવાનોના ફોટો અને નામ સાથેના ફોટો સાથે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો છત્તીસગઢના સુકમા ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા ભારતના વીર જવાનોના છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે ANI દ્વારા પણ 25 એપ્રિલ, 2017 ના રોજ કરવામાં આવેલી એખ ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, છત્તીસગઢના સુકમા ખાતે નક્સલી હુમલામાં CRPF ના 25 જવાનો શહીદ થયા તેમના આ ફોટો છે.

Archive

વધુમાં અમને આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. economictimes.indiatimes.com | financialexpress.com | zeenews.india.com

અમારી વધુ તપાસમાં અમને તાજેતરમાં છત્તીસગઢના બીજાપુર ખાતે થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના ફોટા અને નામ સાથે IPS M.S.Bhatia દ્વારા 4 એપ્રિલ, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી.

Archive

પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને ઉપરોક્ત ટ્વિટમાં મૂકવામાં આવેલા ફોટો બંને અલગ-અલગ છે. તેમજ શહીદ સૈનિકોના નામ પણ અલગ-અલગ જોવા મળે છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફોટો વર્ષ 2017 માં છત્તીસગઢના સુકમા ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે.

Avatar

Title:વર્ષ 2017 માં સુકમા ખાતે શહીદ થયેલા સૈનિકોના ફોટો બિજાપુરના શહીદોના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False