પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવનો નથી, પરંતુ ભાજપાના હાજુરના ધારાસભ્ય રામેશ્વર શર્માનો છે અને તે પણ વર્ષ 2021નો છે.

હાલમાં મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ત્યાના નવા મુખ્યમંત્રીને લઈ ભારે ઉત્તેજનાઓ હતી, ત્યારે વિધાયક દળની બેઠકમાં મોહન યાદવના નામે સર્વાનુમતે મુખ્યમંત્રી માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવામળે છે કે, વાયરલ વીડિયોમાં જોવા મળતો વ્યક્તિ મુસ્લિમોને ચેતવણી આપી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયોમાં ચેતવણી આપી રહેલ વ્યક્તિ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયોમાં ચેતવણી આપી રહેલ વ્યક્તિ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઈટીવી ભારત દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 23 ઓગષ્ટ, 2021 ના રોજ એક પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્મા દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને ચેતવણી આપવામાં આવી તેનો આ વીડિયો છે.

વાસ્તવમાં, ઉજ્જૈનમાં મોહરમ દરમિયાન કેટલાક લોકો દ્વારા લગાવવામાં આવેલા રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચારના મુદ્દા પર પ્રતિક્રિયા આપતા રામેશ્વર શર્માએ મીડિયાને કહ્યું હતું કે, જો તમે તમારી માતાનું દૂધ પીધું છે, તો થોડા દિવસો તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં રહો. આ દેશ બાબાસાહેબે બનાવેલા બંધારણથી ચાલશે. જે કોઈ ભારત વિરોધી નારા લગાવશે તેને કચડી નાખવામાં આવશે. જેમને તાલિબાન ગમે છે તેમણે તાલિબાનીઓ પાસે જવું જોઈએ.

વધુ તપાસમાં, અમને મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ મળ્યું, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ રામેશ્વર શર્મા છે. એકાઉન્ટ પરની માહિતીમાં સ્પષ્ટ લખેલું છે કે, તે મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના હુઝુરથી ભાજપના ધારાસભ્ય છે.

તેમજ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી અને રામેશ્વર શર્માના ફોટોનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

ઉજ્જૈનમાં તાલિબાન અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા...

વર્ષ 2021 માં ઉજ્જૈન ખાતે મોહરમના એક દિવસ પહેલા, જ્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારાનો મુદ્દો સામે આવ્યો ત્યારે શિવરાજ સરકાર કડક બની હતી. જ્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, વીડિયોમાં તાલિબાન અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે, પોલીસે સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે, તાલિબાન સંબંધિત કોઈ નારા લગાવવામાં આવ્યા ન હતા. આ સિવાય ત્યાં હાજર કેટલાક લોકોના કહેવા પ્રમાણે, પાકિસ્તાન ઝિંદાબાદ નહીં પરંતુ કાઝી સાહેબ ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા હતા. જોકે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવનો નથી, પરંતુ ભાજપાના હાજુરના ધારાસભ્ય રામેશ્વર શર્માનો છે અને તે પણ વર્ષ 2021નો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False