આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારની પસંદગીને લઈ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ એનડીએને સરકાર બનાવવા માટે નિતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના સહયોગની જરૂરી પડી હતી. ત્યારે હાલમાં ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના પોસ્ટરને સળગાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એનડીએને સમર્થન કરવા બદલ ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુનો તેમની પાર્ટીના કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એનડીએને સમર્થન કરવા બદલ ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુનો તેમની પાર્ટીના કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Samayam Telugu ન્યુઝ ચેનલ પર આ સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 29 માર્ચ 2024ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુન્તકલ ટીડીપી કાર્યકરોએ ચંદ્રબાબુ નાયડુનો ફોટો સળગાવી દીધો અને ગુમ્માનુર જયરામ સામે વિરોધ વ્યક્ત કર્યો.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ધ ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી ચોથી અને અંતિમ યાદીમાં ટિકિટ વિતરણને લઈને TDPમાં અસંતોષ છે. ઉમેદવારની પસંદગી પર નારાજગી વ્યક્ત કરતા ટીડીપી કેડેરે અનંતપુર અને ગુંટકલ વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટી કાર્યાલયમાં રાખેલા ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું હતું અને પ્રચાર સામગ્રીને પણ બાળી નાખી હતી.”
The New Indian Express | Archive
પરિણામ
આમ, અમારી પડતાલમા ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારની પસંદગીને લઈ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ માર્ચ 2024માં કરવામાં આવ્યો હતો. એનડીએના સમર્થનને લઈ વિરોધ કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર NDAને સમર્થન કરવા બદલ ચંદ્રબાબુ નાયડુનો વિરોધ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
