તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રમિકો સાથે ભેજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર નિર્માણમાં જોડાયેલા શ્રમિકો સાથે ભોજન લીધું તે સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શ્રમિકો સાથે ભોજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામના નિર્માણ કાર્યમાં સહયોગ આપનારા શ્રમિકો સાથે ભોજન લીધું હતું તે સમયનો છે. આ ફોટોને રામમંદિરની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 19 ડિસેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક રાજાએ તાજમહેલ બનાવી રહેલા મજૂરોના હાથ કાપી નાખ્યા હતા. અને એક રાજા રામ મંદિર બનાવતા મજૂરો સાથે ભોજન કરી રહ્યા છે! તફાવત સ્પષ્ટ છે. જય હો સનાતન ધર્મ કી . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર નિર્માણમાં જોડાયેલા શ્રમિકો સાથે ભોજન લીધું તે સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અમને પ્રસાર ભારતી ન્યૂઝ સર્વિસ દ્વારા તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર 13 ડિસેમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા શ્રમિકો સાથે ભોજન લીધું હતું.

Facebook Post

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેના અહેવાલ અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. news18.com | oneindia.com

CNN-News18 દ્વારા પણ આજ ફોટો અને માહિતી સાથેના સમાચાર 13 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શ્રમિકો સાથે ભોજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામના નિર્માણ કાર્યમાં સહયોગ આપનારા શ્રમિકો સાથે ભોજન લીધું હતું તે સમયનો છે. આ ફોટોને રામમંદિરની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો શ્રમિકો સાથે ભોજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False