
Nilesh Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes પબ્લિક ગ્રુપમાં 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ચમત્કારી નુસખો 2 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું કરી શકે છે, એ પણ વધારાનો એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 511 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમજ 132 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા આ માહિતીને શેર કરવામાં આવી હતી જેથી તેનું સત્ય જાણવા અમે અમારી પડતાલ/તતપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ 2 દિવસમાં ઘટી જશે 5 કિલો વજન સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એવી કોઈ ઠોસ માહિતી જાણવા મળી ન હતી. હવે જો ખરેખર આ પ્રકારે વજન ઘટતું જ હોત તો યુ ટયુબ પર આ અંગે કોઈના કોઈ માહિતી જરૂર હોય જ એટલા માટે અમે યુ ટ્યુબનો સહારો લીધો અને 2 દિવસમાં ઘટી જશે 5 કિલો વજન સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

યુ ટ્યુબના પિરણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જેથી એ વાત તો નક્કી થઈ જાય છે કે, 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એ માહિતી લોકોને ભ્રામક કરવા માટે જ મૂકવામાં આવી છે. ત્યાર બાદ અમે યુ ટ્યુબ પર લીલા ધાણાની ચાના ફાયદા લખી સર્ચ કરતાં અમને નીચેના પરિણામ મળ્યા હતા.

અંતમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતીની સત્યતા જાણવા માટે આયુર્વેદના નિષ્ણાત ડૉ. રાકેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો અને તેમને આ અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ફક્ત 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એ વાત તો ગળે ઉતરે એમ જ નથી અને આયુર્વેદમાં આ પ્રકારની કોઈ દવા, ઔષધી કે કોઈ નુસખાની શોધ હજુ સુધી થઈ હોય એવું મારા ધ્યાનમાં નથી.”

પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, આયુર્વેદમાં 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એવી કોઈ દવા, ઔષધી કે કોઈ નુસખાની શોધ હજુ સુધી થઈ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર લીલા ધાણાની ચાના સેવનથી 2 દિવસમાં ઘટી જાય છે 5 કિલો વજન…? જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
