શું ખરેખર લીલા ધાણાની ચાના સેવનથી 2 દિવસમાં ઘટી જાય છે 5 કિલો વજન…? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Nilesh Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes પબ્લિક ગ્રુપમાં 23 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ચમત્કારી નુસખો 2 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું કરી શકે છે, એ પણ વધારાનો એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 511 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમજ 132 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા આ માહિતીને શેર કરવામાં આવી હતી જેથી તેનું સત્ય જાણવા અમે અમારી પડતાલ/તતપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ 2 દિવસમાં ઘટી જશે 5 કિલો વજન સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.17-06-13-17.png

Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એવી કોઈ ઠોસ માહિતી જાણવા મળી ન હતી. હવે જો ખરેખર આ પ્રકારે વજન ઘટતું જ હોત તો યુ ટયુબ પર આ અંગે કોઈના કોઈ માહિતી જરૂર હોય જ એટલા માટે અમે યુ ટ્યુબનો સહારો લીધો અને 2 દિવસમાં ઘટી જશે 5 કિલો વજન સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.17-06-19-05.png

Archive

યુ ટ્યુબના પિરણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જેથી એ વાત તો નક્કી થઈ જાય છે કે, 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એ માહિતી લોકોને ભ્રામક કરવા માટે જ મૂકવામાં આવી છે. ત્યાર બાદ અમે યુ ટ્યુબ પર લીલા ધાણાની ચાના ફાયદા લખી સર્ચ કરતાં અમને નીચેના પરિણામ મળ્યા હતા.

screenshot-www.youtube.com-2019.06.17-06-37-33.png

Archive

અંતમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતીની સત્યતા જાણવા માટે આયુર્વેદના નિષ્ણાત ડૉ. રાકેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો અને તેમને આ અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, ફક્ત 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એ વાત તો ગળે ઉતરે એમ જ નથી અને આયુર્વેદમાં આ પ્રકારની કોઈ દવા, ઔષધી કે કોઈ નુસખાની શોધ હજુ સુધી થઈ હોય એવું મારા ધ્યાનમાં નથી.

2019-06-17.png

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, આયુર્વેદમાં 2 દિવસમાં 5 કિલો વજન ઘટી જાય એવી કોઈ દવા, ઔષધી કે કોઈ નુસખાની શોધ હજુ સુધી થઈ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર લીલા ધાણાની ચાના સેવનથી 2 દિવસમાં ઘટી જાય છે 5 કિલો વજન…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False